ઈ. સ. 1819માં વિજ્ઞાનશિક્ષક ઑર્સ્ટેડે વિધુતપ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે સંબંધ દર્શાવતો પ્રયોગ રજુ કર્યો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહક તાર(તાંબાના તાર)બૅટરી અને કળ ને શ્રેણીમાં જોડો. વાહક તાર પર ચુંબકીય સોય ગોઠવો.તાંબાના તારને એવી રીતે ગોઠવો,જેથી તે ચુંબકીય સોય સમાંતર રહે.
1). પરિપથમાં પ્રવાહ વહેતો ન હોય (કળ ખુલ્લી હોય)ત્યારે ચુંબકીય સોય પૃથ્વીની ભૌતિલિક ઉત્તર-દક્ષિણ દિશામાં સ્થિર રહે છે.(જુઓ આકૃતિ)
2). પરિપથમાં કળ પ્રવાહ વહેતો ન હોય (કળ ખુલ્લી હોય)ત્યારે ચુંબકીય સોયમાં કોણાવર્તન જોવા મળે છે.આ સોય તારને લંબરૂપે ગોઠવાય છે.(જુઓ આકૃતિ)
3). ચુંબકીય સોયનું કોણાવર્તન ચુંબકીય ક્ષેત્રની હાજરી દર્શાવે છે.
4). પરીપથમાં બૅટરીના ધ્રુવોની અદલાબદલી કરતાં તારમાં વિધુતપ્રવાહ પહેલાં કરતાં વિરુદ્વ દિશામાં વહે છે.આ સ્થિતિમાં ચુંબકીય સોયનું કોણાવર્તન પહેલા કરતાં વિરુદ્વ દિશામાં વહે છે. આ સ્થિતિમાં ચુંબકિય સોયનું કોણાવર્તન પહેલા કરતાં વિરુદ્વ દિશામાં જોવા મળે છે.
ટુંકમાં જ્યારે વાહક તારમાંથી વિધુતપ્રવાહ પસાર થાય છે, ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે.
આમ, વિધુતપ્રવાહ અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલ છે.