CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પ્રાચીન ભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિ:
નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ-ઔષધીઓની સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી.
નાગાર્જુને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. નાગાર્જુને ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી’ નામનાં પુસ્તકો લખ્યાં છે.
પારાની ભસ્મ કરીને તેને ઓષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોય તેમ મનાય છે.
નાલંદા વિદ્યાપીઠે રસાયણવિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણશાળા તથા ભઠ્ઠીઓ બનાવી હતી.
રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, દસ પ્રકારનાં વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે.
બિહારના ભગલાપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી ફુટ ઉંચી અને 1 ટન વજનની બુદ્ધની તામ્રમૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાંની બુદ્ધપ્રતિમા પ્રાચીન ભારતમાં રાસાયણવિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે.
ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ દિલ્લીમાં મહરોલી પાસે 24 ફુટ ઉંચો અને 7 ટન વજનનો એક વિજયસ્તંભ ઊભો કરાવ્યો હતો.
અંદાજીત સુધી ટાઢ-તડકો અને વરસાદ ઝીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી. તે રસાયણવિદ્યાની એક આશ્વર્ચજનક બાબત છે.