“બોડીને તાં વળી કાંહકી કેવી?” આ વિધાન સમજાવો.
જીવલાએ ગોવિંદને મોકલી વાડામાંથી વાલોળ ને રીંગણાં મગાવ્યાં. લેખકની ભરેલી થેલીમાં એ સમાઈ શકે તેમ નહોતા, એટલે જીવલાને એકાદ થેલી આપતા કહ્યું ત્યારે જીવલાએ કહ્યું, “બોડીને તાં વળી કાંહકી કેવી?” જેને માથે ટાલ હોય તેની પાસે કાંસકી ન હોય અર્થાત્ ગરીબ પાસે થેલી જેવું ક્યાંઠી હોય?