CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ખનિજ કોલસો અને પેટ્રોલિયમમાં મુખ્યત્વે શું હોય છે ? ખનિજ કોલસો અને પેટ્રોલિયમના ઉપયોગો લખો.
વિશ્વમાં, ભારતમાં તથા ગુજરાતમાં ખનિજ કોલસો ક્યાંથી મળી આવે છે ?
ખનિજ કોલસાનું વિચ્છેદક નિસ્યંદન સમજાવો.
લોખંડના મોટા રિટૉર્ટમાં ખનિજ કોલસાને 1273K તાપમાને ગરમ કરવામાં આવે છે.
આમ કરવાથી બાષ્પશીલ પદાર્થો છૂટા પડે છે અને રિટૉર્ટના ઉપરના ભાગમાં આવેલી નળી વાટે તે બહાર નીકળે છે.
આ ગરમ વાયુઓને પાણીમાં રાખીને ઠંડી કરેલી નળીઓમાંથી પસાર કરવામાં આવે છે. આથી પાણીમાં દ્રાવ્ય હોય તેવા પદાર્થો પાણીમાં દ્રવે છે અને બીજા અદ્રાવ્ય પદાર્થો પાણીમાં નીચે બેસી જાય છે. ત્યારપછી આ વાયુઓ બહાર નીકળે છે જેને શુદ્વ કરીને ગરમી અને શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેને કોલગૅસ તરીકે ઓળખીએ છીએ.
રિટૉર્ટમાં બાકી રહેલો કોલસો કોક તરીકે ઓળખાય છે, તે બાળવાના અને લોખંડમાંથી પોલાદ બનાવવામાં વપરાય છે.
પાણીમાં અદ્રાવ્ય અને નીચે બેસી ગયેલો કાળો ચીકણો પ્રવાહી પદાર્થ ડામર કહેવાય છે.
પહેલાં ડામરનો નિકાલ કેમ કરવો તે પ્રશ્ન હતો, પરંતુ પાછળથી જણાયું કે તેમાં ઘણાં ઉપયોગી પદાર્થો કાઢી લીધા પછી પરિણમતા કોકને જ બળવાના ઉપયોગમાં લેવાય છે.
આમ, ખનિજ કોલસાના વિચ્છેદક નિસ્યંદનથી અગત્યના પદાર્થો મળે છે.
પેટ્રોલિયમમાં રહેલાં મુખ્ય રસાયણો સમજાવો.
પેટ્રોલિયમ ઉત્પત્તિ અને તેની શોધ વિશે ટૂંકમાં સમજાવો.