CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. તેનો કદી અંત આવતો નથી. તે સતત વધતી જાય છે.
એક જરૂરિયાત સંતોષાય ત્યાં બીજી ઉદ્દભવે છે.
ઘણી વાર જરૂરીયાતો વારંવાર સંતોષવી પડે છે.
કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલૉજીના વિકાસને કારણે ઉદ્દભવે છે.
દા.ત. જેને ચાલીને કામ પર જવું પડતું હોય તેને સાઈકલની જરૂરિયાત જણાય છે; પરંતુ સાઈકલ મળ્યા પછી તે સ્કૂટર મેળવવાની ઈચ્છા સેવે છે.
જે મળે એનાથી અસંતુષ્ટ રહેવાની માનવીના સ્વભાવની આ લાક્ષણિકતાને કારણે મનુષ્યના જીવનના અંત સુધી તેની જરૂરિયાતોનો અંત આવતો નથી.
માનવ-જરૂરિયાતોનો સરવાળો, બાદબાકી કે ભાગાકાર નહિ, પરંતુ ગુણાકાર થાય છે.
માનવજીવનના વિકાસ સાથે જરૂરિયાતો સંતોષવાની રીતે બદલાતી જાય છે. પરિણામે માનવીની જરૂરિયાતો સંતોષવાની રીતે બદલતી જાય છે. પરિણામે માનવીની જરૂરિયાતોમાં વધારો થતો જાય છે.
આમ, અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે.