મધમાખીઉછેરની પેદાશો સમજાવો.
મધમાખીઉછેરની મુખ્ય પેદાશોમાં મધ અનેમાખીનું મીણ છે. આ ઊપરાંત પ્રોપોલિસ અને મધમાખીનું ઝેર પણ મધમાખીઉછેરની પેદાશ છે.
1 . મધ : મધ વનસ્પતિ અને પ્રાણીના સુભગ સમન્વયથી સર્જાતું દ્રવ્ય છે.
મધ કથ્થઈ રંગનું, ગળ્યું, ઘટ્ટ અને ચીકાશયુક્ત પ્રવાહી છે. મધમાખી પુષ્પોની મુલાકાત લેતે વખતે પુષ્પોનો મધુરા ચુસે છે, તેનો જઠરમાં સંગ્રહ કરે છે અને મધપુડામાં મધરૂપે પાછો ઠાલવે છે. આમ, મધ પુષ્પોના મધુરસ દ્વારા મધમાખીના જઠરમાંથી ઉત્પન્ન થતું પ્રવાહી છે.
મધનું બંધારણ
શર્કરા-20 થી 40%
પાણી – 60 થી 80%
ખનીજો – 0.2 થી 0.3%
વિટામિન – 0.2 થી 0.5%
આ ઉપરાંત મધમાં એમિનો એસિડ, ઉત્સેચકો, પરાગરજ વગેરે હોય છે.
મધમાં શર્કરા તરીકે લેવ્યુલોઝ, ડેક્ષ્ટ્રોઝ, સુક્રોઝ અને ડેક્ષ્ટ્રન; ખનીજોમાં કેલ્શીયમ, આયર્ન, ફોસ્ફેટ અને મૅંગેનીઝ; વિટામિનતરીકે બાયોટિન, પેન્ટાથેનિક ઍસિડ, પાયરી ડોક્સીન, થીયામિન, રિબોફ્લેવીન, નીએસીન હોય છે.
1 કિલો મધમાં 3200 કૅલરી રહેલી છે. તેથી મધ શક્તિ સ્ત્રોત તરીકે ઉપયોગી છે.
મધનો ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે.
2 . માખીનું મીણ : મધમાખી ઉછેરની અત્યંત અગત્યની ઉપ પેદાશ માખીની ઉદ્દરીય મીણ ગ્રંથીઓ માંથી મીણ સ્ત્રાવ થાય છે. મધપૂડો બાંધવામાં તેનો ઉપયઓગ થાય છે.
મીણ પીળાશપડતાં બદામી રંગનો પદાર્થ છે. બંધારણીય રીતે તે સાદો લિપિડ છે. તે લપાણીમાં અદ્રાવ્ય પણ ઈથરમાં સંપૂર્ણ દ્રાવ્ય છે. મીણનો ઉપયોગ સૌંદર્ય-પ્રસાધનો, રંગો, પૉલિશ, કાર્બન પેપર, લીપસ્ટીક, મીણબત્તી વગેરેની બનાવટમાં થાય છે.
3. પ્રોપોલિસ : પ્રોપોલિસ વાળના બંધારણને થતા નુકશાનને દૂર કરવા, વાળની જાળવણી અને વાળ બાંધવા માટે ઉપયોગી છે.
4 . મધમાખીનું ઝેર : તેનો ઉપયોગ કેટલીક આયુર્વેદિક અને હોમિયો પેથીક દવાઓની બનાવટમાં થાય છે.