CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
‘પ્રેરણાચક્ર’ ક્યારે વિરામ પામે છે ?
આવેગ એ જટિલ મનોવ્યપાર છે. આવેગની સ્થિતિમાં શારીરિક ફેરફારો, બૌદ્ધિક પરિવર્તનો, ચહેરાના હાવભાવ, અંગચેષ્ટા, વ્યક્તિગત લાગણીઓ વગેરેનો સમાવેશ થાય છે.
મનોવિજ્ઞાનિક અભ્યાસોના આધારે આવેગનાં ત્રણ પાસાઓ આ પ્રમાણે દર્શાવવામાં આવ્યાં છે : 1. અભિવ્યક્તિના આધારો, 2. શારીરિક આધારો અને 3. બોધાત્મક આધારો.
અભિવ્યક્તિન આઅધારોની સમજૂતી નીચે મુજબ છે :
અભિવ્યક્તિન આધારો : આવેગ વર્તન-વ્યવહાર દ્વારા કે અવયવો, ચહેરા, વાણી વગેરેમાં પરિવર્તન દ્વારા પ્રગટ થયા વિના રહેતો નથી.
તમામ આવેગોની અભિવ્યક્તિ આંતરિક શારીરિક પ્રક્રિયાઓ તેમજ બાહ્ય વર્તન-વ્યહવારોમાં પ્રતિબિંબ થાય છે જ.
આવેગની અભિવ્યક્તિ કુદરતી છે. તેથી બાહ્ય અભિવ્યક્તિ ત્રણ પ્રકારે થાય છે :
ચહેરા ઉપરના ફેરફારો દ્વારા જેમ કે; આંખો પહોળી થવી, ભવાં ચડવાં, ચહેરો લાલ થઈ જવો, રડવું, મોં પહોળું થવું વગેરે.
અંગવિન્યાસ અને અંગચેષ્ટા દ્વારા : ક્રોધ, ગુસ્સા વગેરે આવેગમાં હાથપગ ધ્રુજવા, મુઠ્ઠી ઉગામવી વગેરે.
વાણીમાં થતા ફેરફારો અને મૌન દ્વારા.
ભારતીય નૃત્યમાં આવેગ અભિવક્તિની સુંદર તાલીમ આપવામાં આવે છે. ભરતનાટ્યમ, કથક, કુચિપુડી, ઓડીસી વગેરે નૃત્યોમાં ચહેરાના હાવભાવ, આંખ, હાથની આંગળીઓની મુદ્રાઓ અને પગની મદદથી નૃત્ય કરનાર નૃત્યાંગના પ્રેક્ષકો સમક્ષ જુદા જુદા આવેગો પ્રદર્શિત કરે છે.
નૃત્યશિક્ષણ દરમિયાન સુખ, દુઃખ, પ્રેમ, વિરહ, આનંદ, ક્રોધ વગેરેને અભિવ્યક્ત કરવાની, અંગવિન્યાસ, ચેષ્ટા તથા અશાબ્દિક પ્રત્યાયનની સઘન તાલીમ આપવામાં આવે છે.