CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
‘જિનેટાઈપ’ એટલે શું ?
પરિધવર્તી ચેતાતંત્ર સાંવેદનિક ગ્રાહકોમાંથી ચેતાપ્રવાહને કેન્દ્રીય ચેતાતંત્રમાં લઈ જાય છે અને મગજમાંથી નીકળતા સંદેશાઓને શરીરના અવયવો અને સ્નાયુઓ સુધી લઈ જવાનું કાર્ય કરે છે.
પરિધવર્તી ચેતાતંત્રના બે ભાગ છે : 1. શારીરિક ચેતાતંત્ર અને 2. સ્વયં સંચાલિત ચેતાતંત્ર.
શારીરિક ચેતાતંત્રની સમજૂતી નીચે મુજબ છે.
શારીરિક ચેતાતંત્ર : શારીરિક ચેતાતંત્રની કારક ચેતાઓ શરીરના પટ્ટાદાર સ્નાયુઓને ક્રિયાશીલ બનાવે છે, જે હાથપગના હલનચલન માટે જવાબદાર છે.
શારીરિક ચેતાતંત્રની સાંવેદનિક ચેતાઓ આંખ, નાક, કાન, ચામડી જેવા શરીરના મુખ્ય અવયવોમાંથી આવે છે.
શારીરિક ચેતાતંત્ર દ્વારા સંવેદનપ્રવાહો કરોડરજ્જુ અને મગજ સુધી પહોંચે છે અને ત્યાંથી પટ્ટાદાર સ્નાયુઓના કારકતંતુઓ દ્વારા સંદેશાઓનું વહન થાય છે.
આ ક્રિયા સમજવા એક ઉદાહરણ જોઈએ. દા.ત. આપણે બસ સ્ટૅન્ડ પરથી એક બસમાં મુસાફરી કરવી છે. આપણું મગજ બસ સ્ટૅન્ડ તરફ ચાલવા માટે પગના સ્નાયુઓને સંદેશો મોકલશે. જ્યારે આપણે બસ સ્ટૅન્ડ તરફ ચાલતા હોઈશું ત્યારે આપણે બસ સ્ટૅન્ડ તરફ આવી રહેલી બસને જોઈએ છીએ. આથી આપણે બસમાં મુસાફરી કરવા દોડવાનું નક્કી કરીશું. મગજ પગના સ્નાયુઓને દોડવા માટેના સંકેતો આપશે. યોગ્ય પ્રતિક્રિયા માટે શારીરિક ચેતાતંત્રનાં સ્નાયવિક હલનચલનો મગજનાં સંદેશાને અનુસરશે અને યોગ્ય પ્રતિક્રિયા આપશે. જ્યાં સુધી ક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી મગજ પગના સ્નાયુઓને સંદેશાઓ મોકલવાનું ચાલુ રાખશે.