Chapter Chosen

પ્રેરણા અને આવેગ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પ્રેરણા એટલે શું ? પ્રેરણા ચક્રની સમજૂતી અપો. 

શારીરિક પ્રેરણા સંદર્ભે કોઈ બે પ્રેરણા સમજાવો. 

કોઈ પણ બે મનોસામાજિક પ્રેરણાની ચર્ચા કરો. 

Advertisement
આવેગનો અર્થ આપી, તેના પ્રકારો સ્પષ્ટ કરો.

આવેગો પ્રાણીઓ અને માનવીના જીવનમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. માનવજીવનના વિવિધ અનુભવો આવેગોના રંગે રંગાયેલા હોય છે, આવેગ વિનાનું જીવન શુષ્ક અને નિરાશા, પ્રેમ અને તિરસ્કાર, ભય અને ક્રોધ વગેરે વિવિધ આવેગોથી સભર છે.

આવેગનો અર્થ : આવેગ એ પ્રત્યેક માનવીને રોજબરોજ થતો અનુભવ છે. ‘આવેગ’ માટેનો અંગ્રેજી શબ્દ Emotion લેટિન શબ્દ Emovere પરથી ઉતરી આવ્યો છે. તેંનો અર્થ થાય છે ‘ખળભળાટ કે ક્ષુબ્ધતા’. આમ, 'આવેગ’ એટલે શારીરિક ક્ષુબ્ધતાવસ્થા કે શરીરમાં થતો ખળભળાટ, સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધવસ્થા.

વ્યાખ્યા : આવેગની વ્યાખ્યા જુદા જુદા મનોવિજ્ઞાનિકોએ નીચે મુજબ આપી છે.

1. સી.ટી.મોર્ગન : “આવેગ એ એક તીવ્ર સુખદ કે દુઃખદ લાગણી દર્શાવે છે કે જે કેટલેક અંધે શરીરની ક્ષેબ્ધાવસ્થામાંથી જન્મે છે. આવેગ એ એવો મનોવ્યાપાર છે કે જે વ્યક્તિના ચહેરાના હાવભાવો કે ચિષ્ઠાઓ દ્વાર પ્રગટ થાય છે.”

2. જે.સી.કોલમૅન : “આવેગ એવી તીવ્ર લાગણી છે કે જે સભાન અનુભવો, આંતરિક તથા બાહ્ય પ્રપ્તિક્રિયાઓ અને વિવિધ ક્રિયાઓ કરવા માટે પ્રાણી કે માનવીને બળ પૂરું પાડે છે.”

3. વૂડવર્થ અને માર્કવીસ : “આવેગ એ સમગ્ર ચેતાતંત્રની ક્ષેબ્ધાવસ્થા છે.”

4. લિન્ડસે : “આવેગ એટલે ચેતાતંત્રની આત્યંતિક ક્રિયાશીલતા.”

ઉપર્યુક્ત વ્યાખ્યાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આવેગના અનુભવ સમયે સમગ્ર ચેતાતંત્ર ખળભળી ઊઠે છે એટલે કે ક્ષુબ્ધ થાય છે. આ સમયે ચેતાતંત્ર અતિશય પ્રમાણમાં ક્રિયાશીલ બને છે. પરિણામે આવેગ દરમિયાન અનેકવિધ બાહ્ય અને આંતરિક શારીરિક ફેરફારો થાય છે.

આમ, આવેગ એ શરીરની ક્ષુબ્ધાવસ્થા છે અને તે વિવિધ શારીરિક પરિવર્તનો દ્વારા વ્યક્ત થાય છે.

આવેગાત્મક લાગણીઓ પ્રેરકો કે લક્ષ્યો તરીકે પણ કાર્ય કરે છે. જો આવેગો સુખદ હોય, તો તે વિધાયક લક્ષ્યો વ્યક્તિને વિવિધ પ્રવૃત્તિઓ કરવા પ્રેરે છે.

આમ, આવેગો પ્રેરકબળો તરીકે કાર્ય કરે છે.

આવેગના પ્રકારો : માનવીના આવેગોનો વ્યાપ ખૂબ વિશાળ છે. તેમં દુઃખ, ઈર્ષા, દુશ્મનાવટ, તિરસ્કાર, નિરાશા, આનદ, ઉત્સાહ, પ્રેમ, ચિંતા, ક્રિધ, હાસ્ય, ભય વગેરેઓ સમાવેશ થાય છે.

વ્યક્તિને પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન અનેક પ્રકારના આવેગોનો અનુભવ થાય છે.

આવેગોન અપ્રકારોની બાબતમાં મનોવિજ્ઞાનિકોમાં અલગ અલગ મત પ્રવર્તે છે.

ઈઝાર્ડ નામના મનોવૈજ્ઞાનિકે આવેગના આ પ્રમાણે દસ પ્રકારો દર્શાવ્યા છે : 1. આનંદ, 2. આશ્ચર્ય, 3. ક્રોધ, 4. ઘૃણા, 5. નફરત, 6. ભય, 7. અપરાધની લાગણી, 8. શરમ, 9. રસ અને 10 ઉત્તેજના.

પ્લુટચિક નામના મનોવિજ્ઞાનિકે આઠ મૂળભૂત આવેગો દર્શાવ્યા છે. તેમના મતે આવેગો બે-બેની જોડીમાં જોવા મળે છે, જે આ પ્રમાણે છે : 1. આનંદ અને વિષાદ, 2. ભય અને ક્રોધ, 3. આશ્ચર્ય અને અપેક્ષા તથા 4. સ્વીકાર અને ઘૃણા.

પ્લુટચિકના મતે અન્ય આવેગો આમાંથી કોઈ પણ બે કે તેથી બધુ આવેગોના સંયોજનથી ઉદ્દભવે છે.

આવેગોનો અનુભવ એ એક સાપેક્ષ ખ્યાલ છે. સામાન્ય રીતે આવેગોને આ પ્રમાણે મુખ્ય બે પ્રકારનાં વહેંચવામાં આવે છે : 1. વિધાયક આવેગો અને 2. નિષેધાત્મક આવેગો.

1. વિધાયક આવેગો : જે આવેગો હકારાત્મક લાગણી અને સ્વાસ્થ્ય મનોશારીરિક સ્થિત સાથે જોડાયેલા છે તથા મોટા ભાગની વ્યક્તિઓને જે પસંદ પડે છે, તેને ‘વિધાયક આવેગો’ કહેવામા આવે છે. દા.ત. આનંદ, પ્રેમ, સુખ વગેરે.

2. નિષેધક આવેગો : જે આવેગો નકારાત્મક લાગણી અને નબળી મનોશારીરિક સ્થિતિ સાથે જોદાયેલા છે તથા મોટા ભાગની વ્યક્તિઓ જેમને પસંદ કરતા નથી, તેને ‘નિષેધક આવેગો’ કહેવામાં આવે છે. દા.ત. ક્રોધ, ભય, નફરત, ઈર્ષા વગેરે.


Advertisement
આવેગ નિયમનની પદ્ધતિઓ સ્પષ્ટ કરો. 

Advertisement