CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મનોવિજ્ઞાન એક પ્રાકૃતિક વિજ્ઞાન છે. કારણ કે તેનો અભ્યાસવિષય એ પ્રાકૃતિનો અંશ છે. મનોવિજ્ઞાન માનવી અને માનવેતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે, જે સજીવતંત્રોનાં કુદરતી વર્તનનો જ અંશ છે.
બીજાં પ્રાકૃતિક વિજ્ઞાનો જે પ્રમાણે કુદરતી ઘટનાઓ કે કુદરતી બાબતોનો અભ્યાસ કરે છે તે જ પ્રમાણે મનોવિજ્ઞાન પણ વર્તનનો અભ્યાસ કરે છે. દરેક પ્રાકૃતિક ઘટનાઓની જેમ કોઈ પણ વર્તનને પણ શરૂઆત અને અંત છે.
મનોવિજ્ઞાન જ્યારે માનવી અને માનવેતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે ત્યારે પ્રાકૃતિક વિજ્ઞાનોની અભ્યાસ પદ્ધતિઓનો જ ઉપયોગ કરે છે. આથી મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે.
મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીઓનાં પ્રાકૃતિક અને કુદરતી વર્તનનો અભ્યાસ કરે છે. આથી મનોવિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન પણ કહેવામાં આવે છે.
મનોવિજ્ઞાનનો શબ્દાર્થ સમજાવો.