Chapter Chosen

બાયોટેકનોલોજી [જૈવતકનિકી] સિદ્ધાતો અને પ્રક્રિયાઓ

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 4

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જેવી રીતે નામાંકિત થાય છે ?


Advertisement

પ્રતિકૃતિ બનાવતા વાહકો(ક્લોનિંગ વાહકો) પર નોંધ લખો.


ઇચ્છિત DNAના ટૂકદાને પ્રતિકૃતિ બનાવવા માટે યજમાન કોષોમાં દાખલ કરાવતા DNAના અણુઓને વાહકો કહેવામાં આવે છે.

1. અગત્યના વાહકો :

પ્લાસ્મિડ અને બૅક્ટેરિયોફેજ ખૂબ જ અગત્યના વાહકો છે. તે રંગસૂત્રના DNAથી સ્વતંત્ર રીતે સ્વયંનિયંત્રિત રીતે યજમાન કોષોમાં સ્વયંજનન પામે છે.

2. બૅક્ટેરિયાફેજ :

બૅક્ટેરિયાના કોષમાં પ્રવેશી પ્રજનન કરતા વાઇરસને બૅક્ટેરિયોફેજ કહે છે. બૅક્ટેરિયાના કોષોમાં પ્રત્યેક કોષદીઠ તેમના જીનોમની વધુ સંખ્યામાં નકલો મળી શકે છે.

3. પ્લાસ્મિડ :

બૅક્ટેરિયાના કોષમાં કોષીય જીનોમથી સ્વતંત્ર કોષરસમાં આવેલા વધારાના વલયાકાર DNAને પ્લાસ્મિડ કહેવામાં આવે છે. પ્લાસ્મિડ DNA પણ સ્વયંજનનનો ગુણ ધરાવે છે. બૅક્ટેરિયાના કોષમાં પ્રત્યેક કોષદીઠ ઓછામાં ઓછી 1-4 નકલો કે વધુમાં વધુ 10 -100 નકલો હોય છે.

4. કોસ્મિડ :

ફેજ-DNA અને બૅક્ટેરિયલ પ્લાસ્મિડના સંયોજંથી બનતી રચનાને કોસ્મીડ કહેવામાં આવે છે. કોસ્મીડ પણવાહક તરીકે ઉપયોગી છે.

5. વાહકો વડે ઇચ્છિત DNAનું ક્લોનિંગ :

જો બૅક્ટેરિયોફેજ કે પ્લાસ્મિડ DNA સાથે ઇચ્છિત DNAના ટૂકદાનું જોડાણ કરી યજમાન કોષમાં દાખલ કરવામાં આવે છે, ત્યારે બૅક્ટેરિયોફેજ કે પ્લાસ્મિડની નકલ સંખ્યા જેટલી જ સંખ્યામાં તેનું બહુગુણણ કરી ઇચ્છિત DNAની પ્રતિકૃતિઓ મેળવી શકાય છે.

Advertisement

પુન:સંયોજિત DNA ટેકનોલૉજીના પાયાના સિદ્વાંતો જણાવો.


ઍક્ઝોન્યુક્લિએઝ ઉત્સેચક DNA પર ચોક્કસ જગ્યાએ કાપ મૂકે છે.
ઍક્ઝોન્યુક્લિએઝ ઉત્સેચક DNAમાં અંત છેડા પર્થી ન્યુક્લિઓટાઇડને દૂર કરે છે.


વરણચિન્હો શું છે ?


Advertisement