CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મુક્તજવાબી પ્રશ્નનો અર્થ સ્પષ્ટ કરો.
સ્વરૂપ પ્રમાણે પ્રશ્નોના ચાર પ્રકાર પડે છે. 1. સરળ ચયનનાં પ્રશ્નો 2. બહુ વિકલ્પીય પ્રશ્નો 3.ગુણ ક્રમાંક સૂચક પ્રશ્નો 4. મુક્તજવાબી પ્રશ્નો.
1. સરાળ ચયનનાં પ્રશ્નો : જે પ્રશ્નોનો ઉત્તર હા અથવા ના હોય તેવા અક પ્રશ્નો હોય છે. દા.ત. ‘તમારી માલિકીની જમીન છે ?’ આ પ્રશ્નનો ઉત્તર ‘હા’ કે ‘ના’ હોય છે. અન્ય કોઈ ઉત્તર શક્ય નથી. ઉત્તરની પસંદગી સરળ હોય છે.
2. બહુ વિકલ્પ પ્રશ્નો : આ પ્રકારના પ્રશ્નમાં પ્રશ્નની સાથે ત્રણકે ચાર વૈકલ્પિક ઉત્તરો આપેલા હોય છે.
ઉદાહરણ :
ગુજરાતનું પાટનગર ક્યું છે ?
1. અમદાવાદ 2. ગાંધીનગર 3. રાજકોટ 4. સુરત
3. ગુણક્રમાંક સૂચક પ્રશ્નો : આ પ્રકારના પ્રશ્નના ઉત્તરમાં ઉત્તરદાતાનો મનોભાવ વ્યક્ત થાય છે. આ પ્રકારના પ્રશ્નોના ઉત્તરો વ્યક્તિએ વ્યક્તિએ જુદા જુદા હોઈ શકે છે, કારણ કે અહીં દરેકની વ્યક્તિગત માન્યતા સંકળાયેલી હોય છે, આવા પ્રશ્નોથી પ્રજાનું મનોવલણ જાણી શકાય છે.
ઉદાહરણ :
“ખેત તલાવડી યોજના વિશે તમે શુ માનો છે ?”
1. ખુબ ઉત્તમ :............... 2. સારી :............ 3. અયોગ્ય :..............
4. મુક્તજવાબી પ્રશ્નો : આ પ્રકારના પ્રશ્નોના ઉત્તર આપવામાં ઉત્તરદાતા પોતનાં મંતવ્યો વિગતે આપી શકે છે. આવા પ્રશ્નોના ઉત્તર આપતી વખતે વ્યક્તિઓ પોતાના સમાજીક તથા આર્થીક દરજ્જાને અનુલક્ષીને ઉત્તર આપે છે. ઉત્તરોમાં ઘણું વૈવિધ્ય હોય છે.
ઉદાહરણ:
‘ખેડુત કલ્યાણ માટે રાજ્ય સરકારે કયાં પગલા લેવા જોઈએ ?’
માત્રાત્મક આંકડા