આયાત : આયાત એતલે એક દેશ દ્વારા બીજા દેશન માલસામાનની ખરીદી. વિદેશી માલસામાનની આયાત થાય છે ત્યારે તેના ગ્રાહકો પરદેશના વેપારીઓને ચલણમાં કિન્મત ચૂકવેછે. ભારતની મુખ્ય આયાતોમાં યંત્રસામગ્રી, પેટ્રોલિયમ, ધતુઓ અને તેમની બનવટો, રસાયણો, દવાઓ વગેરેનો સમાવેશ થાય છે. ચીજવસ્તુના સ્વરૂપમાં થતી આયાતને 'દ્રશ્ય આયાત' કહે છે, જ્યારે સેવાના સ્વરૂપમાં આયાત થતી હોય તો તેને 'અદ્રશ્ય આયાત' કહે છે, જ્યારે સેવાઓની દેશમાં અછ્ત હોય તેની આયાત કરવામાં આવે છે. વસ્તુઓની આયાતનું મૂલ્ય વસ્તુઓની નિકાસના મૂલ્ય કરતાં વિશેષ હોય એટલે કે કમાણી કરતાં ચુકવણી વધુ હોય તો વ્યાપાર તુલા પ્રતિકુળ કહેવાય. આયાત-નિકાસનાં મૂલ્યુ સરખા કરતાં ચુકવણી વધુ હોય તો વ્યાપાર તુલા પ્રતિકૂળ કહેવાય. જોકે કોઈ પણ દેશ માટે સરભર વ્યાપાર શક્ય નથી.
નિકાસ : પરદેશીઓ દ્વારા આપણી ચીજોની ખરીદીને નિકાસ ગણવામાં આવે છે. નિકાસ એટલે એક દેશ દ્વારા બીજા દેશોને કરવામાં આવેલું માલસામાનનું વેચાણ. ચીજવસ્તુના સ્વરૂપમાં થતી નિકાસને 'દ્વશ્ય નિકાસ' કહે છે અને સેવાના રૂપમાં થતી નિકાસને 'અદ્વશ્ય નિકાસ' કહે છે. હસ્ત ઉદ્યોગો પેદાશો, ઝવેરાત, તૈયાર કપડાં, ઇજનેરી માલસામાન, ચા, કૉફી, માછલી વગેરે ભારતની નિકાસ છે. કોઈ પણ ચીજવસ્તુનું વધુ ઉત્પાદન થાય તો તેના પરથી એવો અંદાજ ન મૂકી શકાય કે તેની આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ઉચીત મૂલ્ય પ્રાપ્ત કરી શકે તેમ હોવ છતાં તેની નિકાસ કરવામાં આવતી નથી. તેનું મુખ્ય કારણ સ્થાનીક કિંમતોને જાળવવાનું તેમજ ઉચીત જથ્થો સંગ્રહી રાખવાનું હોય છે.