મહાગુજરાત ચળવળ શા માટે શરૂ થઈ ?
કેન્દ્વ સરકાર રાજ્ય પુન:રચનાપંચના અહેવાલને માન્ય કરીને ચાર પ્રકારનાં રાજ્યો રદ કર્યાં અને 14 રાજ્યો તથા 6 કેન્દ્વશાશિત પ્રદેશોની પુનરચના કરી. એ વખતે મુંબઈ અને પંજાબ રાજ્યોની રચના ભાષાના ધોરણ કરવામાં આવી નહોતી. દ્વિભાષી મુંબઈ રજ્યમાં મરાઠી અને ગુજરાતી એમ બે ભાષા-ભાષી વિસ્તારો હતા.
ભારતની સંસદે જે દિવસે દ્વિભાષી રાજ્યનો ઠરાવ પસાર કર્યો તે દિવસે જ અમદાવાદની લૉ કૉલેજના વિદ્યાર્થીઓની સભામાં 'પગલાં સમિતિ' રચવામાં આવી. વિદ્યાર્થીઓએ ગુજરાતના અલગ રાજ્યની રચના માટે સ્વયંભૂ દેખાવો શરૂ કર્યાં. ધીમે ધીમે આંદોલન ઉગ્ર બન્યું, જે મહાગુજરાતની ચળવળના નામે જાણીતું બન્યું. આમ, દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતના અલગ રાજ્યની રચના કરવા માટે મહાગુજરાત ચળવલ થઈ.