ઇ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના મુખ્ય આગેવાનો કયા કયા હતા ?
મોગલ બાદશાહ બહાદુરશાહ ઝફર, નાનાસાહેબ પેશ્વા, તાત્યા ટોપે, જાગીરદાર કુંવરસિંહ, ઝાંસીનાં મહારાણી લક્ષ્મીબાઈ, અવધના નવાબ વાજીદઅલીશાહની બેગમ હજરતમહાલ, રંગો બાપુજી , અજીમુલ્લાખાન વગેરે ઇ.સ. 1857ના સ્વાતંત્ર્યસંગ્રામના મુખ્ય આગેવાનો હતા.