CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ટુંકનોંધ લખો.
દ્વિતિય વિશ્વયુદ્ધ એક પરિબળ તરીકે લશ્કરવાદ
ટુંકનોંધ લખો.
જાપાનની સામ્રાજ્યવાદી નીતિ
ટુંકનોંધ લખો.
આંતરરાષ્ટ્રીય અદાલત
સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કેવી રીતે થઈ ?
ઈ.સ. 1939માં થયેલા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારથી જ અમેરિકાન અપ્રમુખ એફ.ડી. રૂઝવેલ્ટે વિશ્વમાં માનવ સ્વાતંત્ર્ય, શાંતિ અને સલામતી માટે પ્રયત્નો શરૂ કર્યા.
6 જાન્યુઆરી, 1941ના રોજ તેમણે આ ચાર બાબતોની જાહેરાત કરી : 1. વિચાર અને વાણીસ્વાતંત્ર્ય, 2. ધાર્મિક સ્વાતંત્ર્ય, 3. આર્થિક સ્વાતંત્ર્ય, 4. ભયમાંથી મુક્તિનો અધિકાર.
4 ઑગષ્ટ 1941ના રોજ પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રીટનના વડા પ્રધાન ચર્ચિલે ચર્ચાવિચારણાને અંતે આઠ મુદ્દાઓનું ‘ઍટલૅન્ટિક ખતપત્ર’ બહાર પડ્યું.
આ ખતપત્રમાં દરેક રાષ્ટ્રની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વની જાળવણી, વિશ્વશાંતિ અને સલામતિ, સમાજિક અને આર્થિક કલ્યાણ, નિઃશસ્ત્રીકરણ વગેરે બબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઑક્ટોબર, 1943માં બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો મૉસ્કોમાં મળ્યા. તેમની એ મૉસ્કો પરિષદમાં વિશ્વશાંતિ જાળવવાના કેટલાક પાયાના સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા.
નવેમ્બર, 1943માં તહેરનમાં ત્રણ માંધાતાઓની પરિષદ મળી.
સપ્ટેમ્બર, 1944માં વૉશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત કરી. તેમાં ભારતનો પણ સમાવેશ હતો.