CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
‘રસ્તો કરી જવાના’ ગઝલનું શીર્ષક જ કેટલું ખુમારીભર્યું છે ! ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મુંઝાઇને શા માટે મરી જવું ? એનો કોઈ ને કોઈ ઉકેલ મળી જ જશે, એવો વિશ્વાસ રાખવો. હંમેશાં મસ્તીમાં જીવવાનું. થોડાંઘણાં સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્વ તરી જવાનો. કોણે કહ્યું કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે મરી જઈશું ? આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું. કેટલાય દીપક સદૈવ પ્રજ્વલિત રજેતા હોય છે. જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું. દુ:ખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે. જીવનના દરેક જખમને અમી નજરથી રુઝાવી દઇશું. આપણે સ્વયંપ્રકાશ છીએ ! આપણે એવો દીપક નથી કે કોઈ બુઝાવે ને એ બુઝાઇ જાય. હે કાળ, અમને તારો જરા પણ ભય નથી. તારાથી થાય તે કરી લે ! ઇશ્વર જેવો અમારો ધણી છે. અમે એમ કાંઈ થોડા મરી જવાના છીએ !
‘દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાવા!’ એટલે ....
જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાના.
દુનિયાના લોકો દિલ વગરના છે.
દિલને ચારે છેડેથી માપવાની વાત છે.
ડૉક્ટર લખી આપે તે
કવિનું આત્મબળ
કવિ દુ:ખી જ નથી
એક નાનકડા બિંદુમાં ડુબીને
બીજાની મસ્તીમાં ભળીને
પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને