CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કેટલા વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે છે ?
ચૂંટણી લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. લોકશાહી સરકારની રચના જ ચૂંટણી દ્વારા થાય છે. ચૂંટણીઓમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની પસંદગીના પ્રતિનિધિઓને ચૂંટે છે. મતદારોએ ચુંટેલા પ્રતિનિધિઓ મતદારો વતી રાજ્ય વહીવટ ચલાવે છે. તેથી મતદારો જેવા પ્રતિનિધિઓ ચૂંટે છે. એવું રાજ તંત્ર રચાય છે. લોકશાહી સરકારની સફળતા અને અસરકારકતાનો આધાર પ્રતિનિધિઓ પર રહેલો હોય છે. આમ, મતદાર લોકશાહીમાં મહત્વનો ભાગ ભજવે છે. આથી કહી શકાય કે, મતદાર લોકશાહીને જીવંત રાખે છે.