CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કેટલા વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે છે ?
મુદ્રીત માધ્યમો અને વિજાણુ માધ્યમો લોકમતના ઘડતરમાં ફાળો આપતાં બે મુખ્ય માધ્યમો છે.
દૈનિક વર્તમાનપત્રો, સામયિકો, વિવિધ સમસ્યા અંગેનાં ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે લોકમત ઘડનારાં મુદ્રીત માધ્યમો છે. આ માધ્યમોમાં રજૂ થતા સમાચારો, મંતવ્યો, અભિપ્રાયો વગેરે વાંચીને વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ ઘટના કે પ્રસંગ વિશે જુદા જુદા તારણો પર આવે છે.
રેડિયો, ટેલોવિઝન અને ફિલ્મો લોકમત ઘડનારાં વીજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝનના માધ્યમ દ્વારા દેશ અને દુનિયાની મહત્વની ઘટનાઓ દરેક ઘરમાં પહોંચે છે. સિનેમા પડદા પર ફિલ્મો દ્વારા અસ્પૃષ્યતા, દહેજપ્રથા, સ્ત્રીઓનું શોષણ, નિરક્ષરતા, ગરીબી વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ સચિત્ર રજૂ થતી બાબતો સમાજ અને દેશની અનેક પ્રકારની સમસ્યાઓ વિશે લોકોનું ધ્યાન ખેંચે છે. તે પ્રજાને કોઈ ને કોઈ સંદેશો આપે છે. લોકો તેમને જોઈ જાણીને અને સમજીને પોતાનાં મંતવ્યો બાંધે છે.
આમ, પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે.