રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું સંસદ ઉપલું ગૃહ છે.
તે કાયમી ગૃહ છે. તેનું ક્યારેય વિસર્જન થતું નથી. પરંતુ દર બે વર્ષને અંતે તેના સભ્યોમાંથી કુલ સંખ્યાના
ભાગના સભ્યો નિવૃત થાય છે અને તેમની જગ્યાએ તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે.
રાજ્યસભાના દરેક સભ્યના હોદ્દાની મુદત
6 વર્ષની છે.
30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો કોઈ પણ ભારતીય નાગરિક રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. તે નાદાર, માનસિક રીતે અસ્થિર મગજનો કે સજા પામેલ અને ગુનેગાર ન હોવો જોઈએ.
રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે થાય છે. તેને કુલ સભ્ય સંખ્યા
250ની છે, જેમાંથી
238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની વિધાનસભાના સભ્યો તે રાજ્યની વસ્તીના ધોરણે કરે છે. બાકીના
12 સભ્યો તરીકે રાષ્ટ્રપ્રમુખ સાહિત્ય, વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજસેવા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓને નીમે છે.
ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચૅરમૅનને ચૂંટે છે.
રાજ્યસભાના સભ્યો પોતાનમાંથી ગૃહના વાઈસ ચૅરમૅનને ચૂંટે છે.