CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
યજુર્વેદ વિશે સમજૂતી આપો.
અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે ?
વેદો ચાર છે: (1) ઋગ્વેદ (2)યજુર્વેદ,(3)સામવેદ, (4) અથર્વેદ.
ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદભૂત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ છે. તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞપ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે.
યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે.
સમવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે. એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે. તેથી સામવેદને ‘સંગીતની ગંગોત્રી’ કહે છે.
અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે.