Chapter Chosen

અભ્યાસ પદ્વતિઓ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
વ્યવસ્થિત નિરિક્ષણ પદ્ધતિ તેના લાભ અને મર્યાદા સાથે સમજવો. 

નિરિક્ષણ પદ્ધતિ એ માહિતી પ્રાપ્ત કરવાનો સૌથી સરળ માર્ગ છે. વ્યવસ્થિત નિરિક્ષણ પદ્ધતિની સમજૂતી નીચે મુજબ છે.

વ્યવસ્થિત વિરિક્ષણ પદ્ધતિ (Systematic Observation Method) : ‘વ્યવસ્થિત નિરીક્ષણ’એ કુદરતી નિરીક્ષણ પદ્ધતિનુ વધુ ચોક્કસ અને વિશ્વનિય સ્વરૂપ છે. કુદરતી નિરીક્ષણમાં નિરીક્ષણની સ્મૃતિની મર્યાદાને કારણે કેટલીક માહિતી મેળવી શકાતી નથી.

લાભ : વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિના લાભ નીચે મુજબ છે.

વ્યવસ્થિત નિરીક્ષણમાં વ્યક્તિના વર્તનમાં કૃત્રિમતા ન આવે તેમજ સહજ અને કુદરતી વર્તનનો અભ્યાસ થઈ શકે તે માટે એક બાજુએથી જોઈ શકાય તેવા કાચનો ઉપયોગ કરવામાં આવે છે.

આધુનિક સમયમાં આ નિરિક્ષણ પદ્ધતિમાં કૅમેરા, ટેપરેકૉર્ડર, વીડીયો કે મૂવી કૅમેરાની મદદથી પ્રયોગપાત્રના વર્તનની નાનામાં નાની વિગતો અને હલનચલનનો ઝિણવટપૂર્વકનો અભ્યાસ કરી શકાય છે. દા.ત. બાલમંદિરમાં રમતો રમતાં બાળકોની કુદરતી રમતનો અભ્યાસ નિરીક્ષક એક તરફી કાચ દ્વારા કરી શકે છે.

સમાજના વિવિધ વ્યાવહારિક પ્રશ્નોના અભ્યાસની સફળતા કે નિષ્ફળતાના ઘટકો, બુદ્ધિના વિકાસમાં વારસા અને વાતાવરણનો ફાળો વગેરેના અભ્યાસ માટે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

મર્યાદાઓ : વ્યવસ્થિત નિરીક્ષણની કેટલીક મર્યાદાઓ નીચે મુજબ છે.

નિરીક્ષણ જો પૂર્વગ્રહ વિના પ્રાપ્ત થાય તો વસ્તુલક્ષી પરિણામ મેળવી શકાય છે. કેટલીક વાર નિરીક્ષકનો પૂર્વગ્રહ નિરીક્ષણમાં આવી જાય તો ખોટું મૂલ્યાંકન થવાની સંભાવના છે.

આ નિરીક્ષણ દ્વારા વ્યક્તિના માત્ર બાહ્ય વર્તનનું જ નિરીક્ષણ થાય છે. જો વ્યક્તિનું બાહ્ય વર્તન કૃત્રિમ કે દંભી હોય, તો નિરીક્ષણ દોષમુક્ત બને છે.

આ નિરીક્ષણમાં પરિસ્થિતિ કુદરતી હોવાથી નિરીક્ષક કેટલાંક પરિબળો પર નિયંત્રણ મૂકીને વર્તન અંગેના કાર્યકારણના સબંધો સ્થાપી શક્તો નથી.

પોતાનું નિરીક્ષણ થાય છે તેવી સભાનતાને કારણે વર્તન કૃત્રિમ બનવાની શક્યતા રહે છે.

અચાનક બનતી ઘટનાઓનો અભ્યાસ આ પદ્ધતિની મદદથી કરી શકાતો નથી.


Advertisement
ટુંકનોંધ લખો. 

મનોવૈજ્ઞાનિક કસોટીનાં લક્ષણો   

નિરિક્ષણ એટલે શું ?


નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો જણાવો.


ક્ષેત્ર નિરીક્ષક એટલે શું ? મનોવિજ્ઞાનમાં તેનું મહતવ સ્પષ્ટ કરો. 

Advertisement