Chapter Chosen

ભાષા અને પ્રત્યાયન

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ટુંકનોંધ લખો. 
પ્રત્યયન પ્રક્રિયાનું મૉડલ  

Advertisement
ભાષાની વ્યાખ્યા આપી, તેનાં લક્ષણોની ચર્ચા કરો. 

ભાષા વિચારોને પ્રગટ કરવાનું મહત્વનું કાર્ય કરે છે. ભાષા એ પ્રત્યયનનું મુખ્ય, મહત્વનું શક્તિશાળી સાધન છે. તેથી ભાષા અને પ્રત્યયન પર્સ્પર ગાઢ રીતે સંકળાયેલાં છે.

ભાષા એ અન્યોન્ય સાથે પ્રત્યયન કરવામાં વપરાતાં પ્રતીકોનું માનવસર્જિત, નિયમબદ્ધ, ગતિશિલ અને સર્જનાત્મક તંત્ર છે.

માનવી ભાષાની અભિવ્યક્તિ ત્રણ રીતે કરે છે : 1. બોલીને . 2. લખીને, 3. સંકેતો દ્વારા.

ભાષાની વ્યાખ્યા : ભાષાની વ્યાખ્યાઓ નીચે મુજબ છે.

1. સેન્ટ્રોક : “ભાષા એ પ્રતિકોના તંત્રના આધારે મૌખિક, લેખીત કે સંકેતોમાં રચાયેલું પ્રત્યયનનું એક સ્વરૂપ છે.”

2. એનસીએઆરટી : “ભાષા એ અમુક નિયમો દ્વારા સંગઠિત પ્રતીકોનું એક તંત્ર છે, જેનો ઉપયોગ આપણે એકબીજા સાથે પ્રત્યયન કરવામાં કરીએ છીએ.”

ભાષાના લક્ષણો : ભાષાનાં મૂળભૂત ત્રણ લક્ષણો નીચે પ્રમાણે છે :

1. પ્રતિકોની ઉપસ્થિતિ : ભાષા પ્રતીકો કે ચિહનોનો ઉપયોગ કરે છે. ભાષા એ સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલું પ્રતીકોનું તંત્ર છે.

પ્રતીકો એ કોઈ વસ્તુ કે વ્યક્તિને દર્શાવે છે. દા.ત. ‘ઘર’ ‘શાળા’, ‘ભોજન’ વગેરે.

શબ્દોને પોતાનો કોઈ અર્થ નથી, પરંતુ જ્યારે આ શબ્દોને અમુક વસ્તુઓ કે ઘટનાઓ સાથે જોડવામાં આવે છે ત્યારે તે શબ્દ કોઈ અર્થ ધારણ કરે છે. વ્યક્તિ તે વસ્તુઓ કે ઘટનાઓને વિશિષ શબ્દો દ્વારા ઓળખે છે. વિચારતી વખતે વ્યક્તિ આવાંં પ્રતીકોનો ઉપયોગ કરે છે.

2. નિયમોનો સમૂહ : ભાષામાં પ્રતીકોને સંગઠિત કરવા માટે અમૂક નિયમો હોય છે. બેથી વધુ શબ્દોને જોડવા માટે તથા શબ્દોની રજૂઆત કરવા માટે એક નિશ્ચિત અને સ્વીકૃત ક્રમ હોય છે.

શબ્દોને અર્થ પ્રમાણે જોડવાથી શબ્દસ્મૂહ બને, શબ્દસમૂહને જોડવાથી અર્થપૂર્ણ વાક્ય બને, અર્થપૂર્ણ વાક્યને જોડવાથી પરિચ્છેદ કે કાવ્ય બને.

દરેક ભાષાને વિવિધ નિયમો હોય છે. જેમ કે ઉચ્ચારણ કઈ રીતે કરવું, શબ્દો કઈ રીતે જોડવા, ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ કઈ રીતે દર્શાવવા, એકવચન અને બહુવચનનાં રૂપો તથા વિભક્તિના ઉપયોગના નિયમો, વાક્યમાં કર્તા, કર્મ, ક્રિયાપદ, સર્વનામ, વિશેષણ વગેરેને લગતા ક્રમના નિયમો વગેરે. નિયમોનું પાલન કરવાથી પ્રત્યયન અસરકારક બને છે.

3. પ્રત્યયન : ભાષાના વિચારો, યોજનાઓ, અભિપ્રાયો અને લાગણીઓને અન્ય સુધી પહોંચાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

આ પ્રત્યયન લખીને, બોલીને કે સંકેતો દ્વારા કરવામાં આવે છે.

બહેરાં મુંગા બાળકો શારીરિક સંકેતો દ્વારા પ્રત્યયન કરે છે. આવી ‘શારીરિક સંકેત’ની ભાષા એ પણ ભાષાનું સ્વરૂપ છે.


Advertisement
ભાષાના વિવિધ પાસાઓની સમજૂતી આપો. 

ભાષા અને વિચાર વચ્ચેનો સબંધ સ્પષ્ટ કરો. 

પ્રત્યયનાં કૌશલ્યો વિગતે સમજાવો. 

Advertisement