પ્રદુષણ એટલે શું ? પ્રદુષણના પ્રકારો જણાવો.
વિશાળ નગરો, કારખાનાં, સંહારક શસ્ત્રો તેમજ આકાશના અન્ય ગ્રહોના તાગ મેળવવાની માનવીની પ્રવૃત્તિથ્યી કુદરતી પર્યાવરણની સમતુલા જોખમાઈ રહી છે. માનવીએ ઉદ્યોગો અને કારખાનાં માટે પાણીનો ઉપયોગ કર્યો, પરંતુ તેના નિકાલની અને તેમાં ભળેલાં ઝેરી રસાયણો છૂટા પાડવામાં ઉદાસીનતા દાખવી છે. ઉદ્યોગોને અને પરિવહનનાં સાધનો વધતાં જ ગયાં. તેમાંથી નીકળતા ધુમાડાને કારણે પર્યાવરણ દૂષિત થયું. આમ, કુદરતી પર્યાવરણની સમતુલામા માનવીને દખલગીરીને કારણે અવરોધો પેદા થયા છે. આથી સજીવોના જીવન માટે જરૂરી વિવિધ ઘટકો દૂષિત કે મીલન થાય છે. આમ ,માનવીની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિને કારણે સજીવોના જીવન માટે જરૂરી ઘટકો દૂષીત થવાની ક્રિયાને 'પ્રદુષણ ' કહે છે.
પૃથ્વી ઉપર કેટલીક ઘટનાઓ કુદરતી રીતે થતી હોય છે, જેમ કે જ્વાળામુખીનું પ્રસ્ફોટન, દાવાનળ, ચક્રવાતો વગેરે. સમુદ્વ્ર પરથી વાતા પવનો ક્ષાર લઈને આવે છે અને આબોહવા તથા જમીનને પ્રદુષિત કરે છે. વરસાદ પડવાથી પાણીનો ભરાવો થાય ત્યારે લીલ, શેવાળ વગેરેને લીધે પાણીમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે અને તેથી હવા તથા પાણીનું પ્રદુષણ થાય છે. માનવ વિકાસની પ્રક્રિયામાં ઉદ્યોગીકરણ , શહેરીકરણ, પરિવહનના સાધનોમાં વધારો વગેરે ઘટનાઓને લીધે પર્યાવરણ અનેક રીતે પ્રદુષિત થાય છે. પ્રદુષણના પ્રકાર નીચે પ્રમાણે છે. :
1. હવાનું પ્રદુષણ
2. જળપ્રદુષણ
3. ભૂમિ પ્રદુષણ
4. ધ્વનીનું પ્રદુષણ
5. કિરણોસ્તર્ગી પ્રદુષણ
6. અવકાશી પ્રદુષણ