Chapter Chosen

ભારત : આઝાદી તરફ પ્રયાણ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ટૂંકનોંધ લખો. 
સાયમન કમિશન 


Advertisement
‘હિંડ છોડો’ ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો જણાવો. 

ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સાબિત થયું કે બ્રિટિશ સરકાર ભારત છોડવા તૈયાર નથી. તેમજ તે ભારતને સ્વરાજ્ય આપવાનો ઈરાદો ધરાવતી નથી. તેમજ તે ભારત સ્વરાજ્ય આપવાનો ઈરાદો પણ ધરાવતી નથી. તે હિંદની પ્રજાને છેતરી રહી છે એવું લાગતાં ભારતની પ્રજામાં ભારે હતાશા અને અસંતોષ વ્યાપ્યા. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી તેમને આખરી લડત લડવા તૈયાર કર્યા.

મુંબઈમાં મળેલી કૉંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં 9 ઑગસ્ટ, 1942ની રાત્રે હિંદ છોડનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો.

ગાંધિજીએ જાહેર કર્યું કે, ‘આઝાદી માટે મારી આ અંતિમ લદત છે’ ‘આજે છુપાઈને કશું કરવું નથી’ કરેંગે યા મરેંગે’. આ સભામાં જ ગાંધીજીએ પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવાનો તેમજ અંગ્રેજ સરકારને ‘હિંદ છોડો’ આદેશ આપ્યો.

‘હિંદ છોડો’ ચળવળના બનાવો :

હિંદ છોડોના ઠરાવના બીજા દિવસે વહેલી સવારમાં અંગ્રેજ સરકારે ગાંધીજી, વલ્લભભાઈ, જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય નેતાઓની ધરપકડ કરી, તેમને જેલમાં પૂર્યા. કૉંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરાઈ. વર્તમાનપત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

અંગ્રેજ સરકારે પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કૉંગ્રેસી નેતાઓની ધરપકડ કરી. ગાંધીજી સહિત તમામ દેશનેતાઓની ધરપકડને કારણે ભારતનાં શહેરો તથા ગામડાઓમાં હડતાલો પડી.

ભારતભરનાં શહેરો અને ગામડાંમાં મજૂરો, ખેડુતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરેએ હિંદ છોડોની ચળવળમાં સક્રિય ભાગ લીધો. મજુરોએ કારખાનાઓમાં તેમજ મુંબઈ, તમિલનાડુ, અને અમદવાદની કાપડ મિલોમાં કામદારોએ હડતાલ પાડી. અમદાવાદમાં કાપડની 75 મિલોના એક લાખ ચાલીસ હજાર મજૂરોએ 105 દિવસ સુધી શાંત અને અભુતપૂર્વ હડતાલ પાડી. શાળ-કૉલેજોમાં હડતાલ પડી. અમદાવાદમાં સાડા ત્રણ માસ સુધી બજારો બંધ રહ્યાં.

બ્રિટિશ સરકાર સામે શાંતિથી દેખાવો કરી રહેલા લોકો પર સરકારે ઉગ્ર દમનનીતિ અપનાવી. પરિણામે હિંસક તોફાનો ફાટી નિકળ્યા.

લોકોએ રેલવે-સ્ટેશનો, પોલિસ-સ્ટેશનો, પોસ્ટ ઓફિસો, સરકારી મકાનો વગેરેને ભારે નુકશાન કર્યું. કેટલાક સ્થળોએ રેલના પાટાઓને ઉખાડીને ફેંકી દીધાં. દેશભરમાં મિલકતોને લૂંટવાના અને આગ લગાવવાના બનાવો મોટી સંખ્યામાં બન્યા. રેલવેને સૌથી વધુ નુકશાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બૉમ્બનો પણ ઉપયોગ કર્યો. અનેક સ્થળોએ પોલિસો અને લોકો વચ્ચે હિંસક ઘર્ષણો થયાં.

અંગ્રેજ સરકારે ‘હિંદ છોડો’ચળવળને દબાવી દેવા લાઠીચાર્જ, ટિયરગૅસ, ગોળિબાર, વગેરેનો ઉપયોગ કર્યો. સરકારે લગભગ 70,000 કરતાં વધુંલોકોને જેલમાં પૂર્યાં. 538 વખત ગોળિબાર કર્યો, જેમાં 1028 માણસો મૃત્યુ પામ્યા અને 3200થી વધારે સંખ્યામાં ઘવાયા. આમ છતાં, અંગ્રેજ સરકાર આ ચળવળને સંપૂર્ણપણે દબાવી શકી નહિ.

આથી સરકારને ખાતરી થઈ ગઈ કે ભારતને વધુ સમય સુધી પરાધીન રાખવું હવે શક્ય નથી. ‘હિંદ છોડો’ ચળવળથી ભારતના લોકોમાં અભુતપૂર્વ જાગૃતિ આવી. લોકો પૂર્ણ સ્વરાજ્ય મેળવવા કટિબદ્ધ થયાં. પરિણામે પાંચ વર્ષે એટલેકે ઈ.સ. 1947માં ભારતને સંપૂર્ણ આઝાદી મળી.


Advertisement

ટૂંકનોંધ લખો. 
સુભાષચંદ્ર બોઝ 


ટૂંકનોંધ લખો. 
પૂર્ણ સ્વરાજ્યની માંગણી


આઝાદ હિંદ ફોજે ભારતને આઝાદી આપવા બજાવેલી કમગીરીની વિગત દર્શાવો.

Advertisement