CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જમીન માર્ગના બે પ્રકાર છે : 1. સડક માર્ગ અને 2.રેલ માર્ગ. આ બે માર્ગોથી થતા પરિવહના અનેક લાભો છે. જે નીચે પ્રમાણે છે.
1. દેશના વિભિન્ન વિસ્તારોને સાંસ્કૃતિક અને આર્થીક રીતે સાંકળવા માટે જમીન માર્ગો ઉપયોગી છે.
2. કાચા માલને ઉદ્યોગના સ્થળે લાવવા અને તૈયાર થયેલા માલને બજારો સુધી પહોંચાડવા સરળ પડે
છે. પરિણામે દેશ કે પ્રદેશનો ઔદ્યોગીક વિકાસ ઝડપી બને છે.
3. મુસાફરોની યાત્રા સુવિધાજનક, ઝડપી અને આરામ દાયક બને છે.
4. પૂર, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આફતોને સમયે અસરગ્રસ્ત લોકોને સરળતાથી અને ઝડપથી રહતસામગ્રી પહોચાડી શકાય છે.
5. માલસામાનની હેરફેર ઝડપથી કરી શકાય છે. દૂધ, ફળ ફુલો, શાકભાજી, માંસ, માછલાં ઝડપથી બજરો સુધી મોકલી શકાય છે.
6. લાંબા અંતરની મુસાફરી આરામદાયક રીતે કરી શકાય છે. ઝડપથી ગંતવ્ય સ્થળે પહોંચી શકાય છે. જમીન માર્ગ ઘેર ઘેર પહોચાડવા સુધીની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે.
7. ખેતી, વ્યાપાર, ઉદ્યોગો, ખનન, વગેરે રાષ્ટ્રની આર્થીક પ્રવૃત્તિઓનો ઝડપી વિકાસ થાય છે.
8. જમીન માર્ગો દેશની આયાત નિકાસની આર્થીક પ્રવૃત્તિમાં સહાય સેવાઓ પૂરી પાડે છે.