CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નાવિકે સાંભળ્યું હતું કે શ્રીરામની ચરણ્રજનો મહિમાં અપાર છે. એમની ચરણરજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. ઋષિના શાપથી પથ્થર બની ગયેલી અહલ્યા શ્રીરામની ચરણરજના સ્પર્શથી સ્ત્રી બની ગઈ હતી. તેથી નાવિકની મૂંઝવણ હતી કે એની હોડી ભલે કષ્ઠની હોય, પણ કાષ્ઠ હોય કે પાષાણ બંને એક જ કહેવાય ને, એટલે જો એ શ્રીરામને પોતાની હોડીમાં બેસાડે તો શ્રીરામની ચરણરજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જાય તો મારે શું કરવું ? આ હોડી જે મારી આજીવિકાનું સાધન છે તે જ છીનવાઈ જાય. આમેય એક પત્નિ તો ઘરમાં છે જ. એમાં વળી બીજી સ્ત્રી આવે તો બંને ખાય શું ? એ બંનેના ભરણપોષણની વ્યવસ્થા કેવી રીતે કરવી ? તેથી નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને પોતાની હોડીમાં બેસાડવા તૈયાર થાય છે, પણ એણે શ્રીરામને હોડીમાં બેસાડવાની ના પાડી દીધી.