CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રીકૃષ્ણએ મસ્તક પર મોરમુગટ ધારણ કરેલ છે. એમના કાનમાં કુંડળ, શરીરે પીતાંબર અને ફુલની પછેડી પહેર્યાં છે. ફુલની પછેડી ચુઆ-ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામડળમાં શશિયર (ચંદ્વ) શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરિધર શોભી રહ્યા છે. શ્રીકૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હ્રદયમાં વસી ગયું છે, એટલે કે કવિના મનમાં શ્રીકૃષ્ણ મોહ ઉપજાવે છે.