કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે ?
સાંજને સમયે વૃદાવનથી આવતા શ્રીકૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે. કૃષ્ણે મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝુલે છે. શરીરે પિતામ્બર અને ફુલની પછેડી પહેર્યાં છે. ફુલની પછેડી ચુઆ-ચંદનની સુગંધથી મહેકે છે. જેવી રીતે તારામંડળમાં ચંદ્વ શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હ્રદયમાં વસી ગયું છે. તેમને મળવા એમનું મન વેગથી દોડ્યું. કૃષ્ણે તેમણે વહાલથી આલિંગન દીધું અને એમનું મન કૃષ્ણના મુખસૌંદર્ય પર વારી ગયું. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી અથવા કલ્યાણકારી છે.