બાળવયે રાયચંદની પ્રવૃત્તિઓ વિશે જણાવો.
રાયચંદે આઠ વર્ષની ઉંમરે કવિતા લખવાની શરૂઆત કરી હતી. તેઓ શીઘ્ર કવિ હતા. એ સમયે તેમણે આશરે 5000 કડીઓ લખી હતી. નવમા વર્ષે તેમણે રામાયણ-મહાભારતને કાવ્યરૂપે લખવાનું શરૂ કરેલું. તેમને સ્વચ્છ વસ્ત્રો પહેરવાં ગમતાં. તેઓ રમતગમતમાં પણ રસ લેતા. તેરમા વર્ષે તેમણે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો હતો. તે સમયે એતો પિતા સાથે દુકાને પણ બેસતા. એમના અક્ષર સુંદર અને મરોડદાર હતા.