CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મુઘલ બાદશાહ શાહજહાંએ ઇ.સ. 11638માં દિલ્લીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો.
મુઘલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે.
તેમાં સુરક્ષાનીએ અદ્યતન પદ્વતિઓનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
લાલ કિલ્લાને કમાન આકારનાં અબે પ્રવેશદ્વારો અને આરસના ઘુમ્મટો છે.
શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી ‘શાહજહાંનાબાદ’ નામનું નગર વસાવ્યું હતું.
તેમાં દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ, મુમતાજનો શીશમહલ, ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજા, મીનાબજાર, મુઘલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે.
દીવાન-એ-ખાસની ઉમારતને સોના-ચાંદી અને કીમતી પથ્થરોથી સમજાવવામાં આવી છે.
અહીં રંગમહેલ અને શાહી સ્નાનાગાર છે.
શાહજહાંએ દીવાન-એ-ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક ‘મયૂરાસન’ બનાવડાવ્યું હતું.
ઇરાનના નાદિરશાહે દિલ્લી પર ચઢાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે તે મયુરાસનને પોતાની સાથે ઇરાન લઈ ગયો હતો.
દિલ્લીનો લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.