CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ખજૂરાહોનાં મંદિરો મધ્ય પ્રદેશમાં છતપુર જિલ્લાના ખજૂરાહો નામના સ્થળે આવેલાં છે.
ખજૂરાહો ઇ.સ.905 થી 1050 સુધીના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપુતોની રાજધાનીનું નગર હતું.
ચંદેલ રાજાઓએ અહીં કુલ 80 મંદિરોનું નિર્માણ કર્યું હતું. તેમાંથી આજે માત્ર 25 મંદિરો જ હયાત છે.
આ મંદિરો ઉત્તર ભારતની નાગર શૈલીના ઉત્તમ નમૂના છે.
તે પશ્વિમ, પૂર્વ અને દક્ષિણ દિશાના ક્ષેત્રસમુહોમાં વિભાજિત થયેલાં છે.
આ મંદિરોમાં મોટા ભાગના શૈવ મંદિરો છે. કેટલાંક મંદિરો વૈષ્ણવ છે, જ્યારે કેટલાંક જૈનમંદિરો છે.
બધાં મંદિરોની રચનાપદ્વતિ અને શિલ્પવિધાન લગભગ એકસમાન છે.
શરૂઆતના સમયનાં બધાં જ મંદિરો ગ્રેનાઈટ પથ્થતોનાં બનાવેલાં છે.
તેમાં ચોસઠ યોગિનીનું મંદિર મુખ્ય છે.
આ મંદિરની તોરણની આલંકારિક સ્થાપત્ય શૈલી કલાકારીગરીનું ઉત્તમ દ્રષ્ટાંત છે.
દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ ખજૂરાહોનાં મંદિરોમાં મુર્ત થયેલી વાસ્તુકલા, શિલ્પકલા અને મૂર્તિકલાનાં શિલ્પો જોઈને આશ્વર્યચકિત થઈ જાય છે.