CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વૃદ્ધોની સમસ્યાઓ : પાશ્વાત્ય સંસ્કૃતિ, ભૌતિકવાદ અને વિભક્ત કુટુંબમાં રહેવાની ઘેલછાને કારણે આજનાં સંતાનો વૃદ્ધ માતાપિતા પ્રત્યેની તેમની કૌટુંબિક અને નૈતિક ફરજો તથા માનવમૂલ્યો ભૂલી ગયાં છે.
પરિણામે વર્તમાન સમયમાં વૃદ્ધો ઉપેક્ષિત અને નિઃસહાય સ્થિતિમાં જીવી રહ્યા છે.
સંયુક્ત કુટુંબમાં રહેતા વૃદ્ધોની સારસંભાળ અગાઉની તુલનામાં હાલમાં ઓછી લેવાય છે.
સમાજમાં જેમ જેમ કુટુંબો વિભક્ત થતાં જાય છે તેમ તેમ વૃદ્ધોની સમસ્યાઓ ગંભીર બનતી જાય છે.
સંતાનોની વૃદ્ધ માતાપિતા પ્રત્યે સંવેદનાહીન અને લાગણીશૂન્ય વ્યવહારથી મજબૂર બનીને વૃદ્ધોને ‘ઘરડાંઘરો’માં રહેવા જવાની ફરજ પડે છે.
આમ, ઉપર દર્શાવેલી સમસ્યાઓને કારણે નિઃસહાય બનેલા વૃદ્ધોને રક્ષણ આપવાની જરૂરિયાત ઊભી થઈ છે.
વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કરેલી જોગવાઈઓ નીચે મુજબ છે :
કેન્દ્ર સરકારે ‘વૃદ્ધ અંગેની રાષ્ટ્રીય નીતિ-1999’ અમલમાં મૂકી છે. આ નીતિ અન્વયે વૃદ્ધોને પેન્શનરૂપે આર્થિક મદદ આપવામાં આવે છે.
સીનિયર સિટિજન્સ માટેની સ્કીમ હેઠળ વૃદ્ધોને બૅન્ક અને પોસ્ટઑફિસમાં મૂકેલી ડિપૉઝિટ પર વધુ વ્યાજ આપવામાં આવે છે.
બસ, રેલવે કે હવાઈ મુસાફરીમાં વૃદ્ધ સ્ત્રી-પુરુષોને ટિકિટના દરમાં 30થી 50% સુધીની રાહત આપવામાં આવે છે.
રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં એક સુવિધાયુક્ત ‘ઘરડાંઘર’ ખુલ્યું છે.
વૃદ્ધાશ્રમોમાં સંગીત, યોગ, રમતગમત તેમજ માનસિક ક્ષમતા વધે તેવી પ્રવૃત્તિઓ દ્વારા વૃદ્ધોના જીવનને શાંતિપ્રદ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
શહેરો વૃદ્ધો માટે અલગ બગીચા બનાવ્યા છે.
ઘરેલું હિંસા, શોષણ અને અત્યાચારો સામે વૃદ્ધોને રક્ષણ આપવા માટે સરકારે ‘માતાપિતા અને સીનીયર સિટિઝન્સની સારસંભાળ અને કલ્યાણસંબંધી કાયદો 2007’ અમલમાં મૂક્યો છે. અને દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
વૃદ્ધોની સારસંભાળ્ની કાયદેસર જવાબદારી તેમનાં કુટુંબીજનો અને સગાંઓ પર લાદવામાં આવી છે. આથી વૃદ્ધો તેમનાં સંતાનો પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર બન્યા છે.
કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ વૃદ્ધોને સન્માનિત કરવાનો કાર્યક્રમ અમલમાં મુક્યો છે.