આંબા પટેલનું પાત્રાલેખન કરો.
આંબા પટેલને ગામ અને પરગામના સૌ આંબા ને અર્થાત્ આંબા વછાણીને આંબાઅદાના(દાદા)ના નામથી બોલાવતા. ઘોડાના શોખીન આંબા પટેલ અસલ ઓલાદની જાતવાન છ મહિનાની વછેરી મૂલવીને પોતાના ઘરે લઈ આવ્યા હતા. પોતાના દીકરાની જેમ તેને વહાલથી ઉછેરી હતીએ. તેને હોંશે હોંશે રેવાલ ચાલ શીખવી હતી. તેઓ માનતા હતા કે આ જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચિંતા કરવાની જ ન હોય. આંબા પટેલ તેમના મામાને લાખ રૂપિયાના માણસ એટલે કે પ્રતિષ્ઠિત માણસ ગણાતા હતા એટલે મામાનો સંદેશો આવે કે તરત જ ભર્યું ભાણું એક બાજુ હડસેલીને પણ મામાને મળવા જવું એમ આંબા પટેલ માનતા હતા. મામાને પણ તેમના ભાણેજ પર વિશ્વાસ હતો એટલે જ તેમણે ભાણેજ આંબા પટેલ પોતાની દીકરીની સાગાઇ અંગે ભલામણ કરી. મામાને ત્યાંથી ઘરે પાછા ફરતાં શેત્રુંજી નદીમાં પુર આવ્યું ત્યારે તેમની જાતવાન ઢેલ ઘોડીની ખાનદાની અને વફાદારીને કારણે તમને જીવતદાન મળ્યું હતું. એ માટે તેમણે ઢેલ ઘોડી અને ગામના ઠાકોરજીનો આભાર માન્યો હતો.