નરસિંહ મહેતા વૈષ્ણવજનમાં કયાં - કયાં લક્ષણો જણાવે છે, તે તમારા શબ્દોમાં વર્ણવો.
વૈષ્ણવજનનાં લક્ષણો દર્શાવતાં નરસિંહમહેતા જણાવે છે કે સાચો વૈષ્ણવજન હંમેશાં પારકાનાં દુ:ખદર્દને સમજે છે અને તેને દૂર કરીને તેના પર ઉપકાર કરે છે, છતાં મનમાં તેનું સહેજે અભિમાન રાખતો નથી.
દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે અર્થાત્ તેને સૌ પ્રત્યે આદરભાવ હોય છે. તે કોઈની નિંદા કરતો નથી. તે જે બોલે છે તે પ્રમાણે જ વર્તે છે. અર્થાત્ તેનાં મન, વાણી અને ચારિત્ર્યમાં કોઈ ભિન્નતા જોવા મળે નહી. આવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે.
સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે અને તેમને ઇચ્છા/કામનાનો ત્યાગ કરેલ હોય છે. સાચો વૈષ્ણવજન પર સ્ત્રીને માતા સમાન ગણે છે. તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પરાયા ધનને હાથ પણ અડાડતો નથી. એ મોહમાયાથી પર હોય છે.
તેના અંતરમાં દ્વઢ વૈરાગ્ય હોય છે. તેનું ચિત્ત હંમેશાં રામનામની ધૂનમાં જ લીન હોય છે. તે નિર્લોભી અને નિષ્કપટી હોય છે. તે નિર્મળ છે. તેણે કામક્રોધ પર વિજય મેળવેલ હોય છે. આવો વૈષ્ણવજન તીર્થસ્વરૂપ છે.