‘શીલવંત સાધુ’ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો.
‘શીલવંત સાધુને’ પદમાં ગંગાસતીએ પાનભાઈને ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપી છે. આ પદમાં ‘શીલવંત સાધુ’નાં લક્ષણો દર્શાવ્યાં છે : ચારિત્ર્યવાન સાધુના વર્તનમાં કોઈ નિર્મળ અને પવિત્ર હોય છે. આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે. એમના હ્રદયમાં આ શત્રુ કે આ મિત્ર એવો કોઈ ભેદભાવ હોતો નથી. એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે. એમનાં મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. એ સાધુના નિયમ સારી રીતે પાળે છે. એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે. એમની સૂર્યાવસ્થા જાગી ગઈ હોય છે. એ પ્રભુના ધ્યાનમાં જ મસ્ત હોય છે. એ નામ અને રૂપથી પર હોય છે એટલે કે એ મોહમાયાથી પર હોય છે. એ હંમેશાં ભજનમાં જ વ્યસ્ત હોય છે. એમને કેવળ પરમાત્માનાં વચનોમાં જ વિશ્વાસ હોય છે. આવા સંતનો સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે.