Chapter Chosen

પોષણ અને શ્વસન

Book Chosen

વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

આપણા માટે પોષણનું મહત્ત્વ જણાવો.
             અથવા
પોષણ દેહધાર્મિક કાર્યો માટે જરૂરી છે. સમજાવો.


પોષણ અને ખોરાક એટલે શું ? ખોરાકમાં કયાં કયાં પોષક તત્ત્વો હોય છે ?


શ્વસનના પ્રકારો સમજાવો. અથવા નોંધ લખો : (1) જારક શ્વસન (2) અજારક શ્વસન 


પોષણપદ્વતિ એટલે શું ? સજીવોમાં જોવા મળતી પોષણપદ્વતિના વિવિધ પ્રકારનાં નામ અને ઉદાહરણ જણાવો.


Advertisement

જીવંત પ્રક્રિયાઓ એટલે શું ? સજીવોની સામાન્ય જૈવિક પ્રક્રિયાઓ સમજાવો.


બધા સજીવો જીવન ટકાવી રાખવા માટે જે મુખ્ય કાર્યો કરતાં હોય છે, તેને જીવંત પ્રક્રિયાઓ કહેવાય છે.

બધા સજીવોમાં પોષણ, વૃદ્વિ, શ્વસન, પરિવહન, ઉત્સર્જન, હલનચલન, નિયંત્રણ અને સહનિયમન, પ્રજનન વગેરે મુખ્ય જીવંત પ્રક્રિયાઓ સામાન્ય હોય છે.

પોષણ : ખોરાક ગ્રહણ કરી, તેમાંનાં પોષક દ્રવ્યોનો શરીરમાં વિવિધ દેહધાર્મિક કાર્યોમાં ઉપયોગ કરવાની ક્રિયાને પોષણ કહે છે.

વૃદ્વિ : સજિવોનાં કદ અને વજનમાં થતા અપરિવર્તનીય વધારાને વૃદ્વિ કહે છે.

શ્વસન : આ પ્રક્રિયા દ્વારા કોશીય સ્તરે કાર્બનિક પોષક દ્રવ્યોનું ઑક્સિડેશન કરી ઊર્જા મુક્ત થાય છે.

પરિવહન : શોષિત ખોરાકનું શરીરના વિવિધ ભાગોમાં વહન થવાની ક્રિયાને પરિવહન કહેવામાં આવે છે.

ઉત્સર્જન : શરીરના વિવિધ કોષો દ્વારા સર્જાતાં ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરની બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહેવાય છે.

હલનચલન : તેના દ્વારા શરીરના વિવિધ ભાગોનું હલનચલન તેમજ સજીવનું સ્થળાંતર (પ્રચલન) થાય છે.

નિયંત્રણ અને સહનિયમન : તેના દ્વારા સજીવો તેમની ફરતે આવેલા વાતાવરણના ફેરફારો સામે આંતરિક પર્યાવરણની સ્થિતિ જાળવી જીવંત રહી શકે છે.

પ્રજનન : પ્રજનનની પ્રક્રિયામાં પૂર્વાસ્તિત્વ ધરાવતા સજીવો ગુણન પામી જીવસાતત્ય જાળવે છે.


Advertisement
Advertisement