CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જીવંત પ્રક્રિયાઓ એટલે શું ? સજીવોની સામાન્ય જૈવિક પ્રક્રિયાઓ સમજાવો.
પોષણપદ્વતિ એટલે શું ? સજીવોમાં જોવા મળતી પોષણપદ્વતિના વિવિધ પ્રકારનાં નામ અને ઉદાહરણ જણાવો.
પોષણ અને ખોરાક એટલે શું ? ખોરાકમાં કયાં કયાં પોષક તત્ત્વો હોય છે ?
શ્વસનના પ્રકારો સમજાવો. અથવા નોંધ લખો : (1) જારક શ્વસન (2) અજારક શ્વસન
(1) જારક શ્વસન : કોષીય શ્વસનની જે ક્રિયામાં ઑક્સિજનનો ઉપયોગ અનિવાર્ય હોય તેવા શ્વસનને જારક શ્વસન કહે છે. જારક શ્વસનમાં પોષક દ્રવ્યનું સંપૂર્ણ ઑક્સિડેશન થઈ CO2 અને H2O મુક્ત થાય છે તેમજ પુષ્કળ પ્રમાણમાં ઉષ્માશક્તિ મુક્ત થાય છે. આ શક્તિનો કેટલોક ભાગ APT સ્વરૂપે સંગૃહીત થાય છે અને કેટલીક મુક્ત શક્તિ તરીકે ઉપયોગમાં આવી શકે તેવી હોય છે.
જારક શ્વસનનું સામાન્ય સમીકરણ નીચે પ્રમાણે છે :
ટૂંકમાં, C6H12O6+6O2 → 6CO2+6H2O+ મુક્ત શક્તિ
(2) અજારક શ્વસન : કેટલાંક બૅક્ટેરિયા, યીસ્ટ અને અન્ય ફૂગ, અંતઃપરોપજીવીઓ તેમજ પ્રાણીઓના સ્નાયુઓમાં ઑક્સિજનનો ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝમાંથી કાર્યશક્તિ મુક્ત કરવાની ક્રિયાને અજારક શ્વસન કહે છે. આ ક્રિયા દરમિયાન વનસ્પતિજન્ય માધ્યમમાં ઈથેનોલ અને CO2તેમજ પ્રાણીજન્ય માધ્યમમાં લૅક્ટિક ઍસિડ ઉદભવે છે. આ ક્રિયા માટેનાં સામાન્ય સમીકરણો નીચે મુજબ છે :
યીસ્ટમાં :
પ્રાણીના સ્નાયુકોષમાં :
આપણા માટે પોષણનું મહત્ત્વ જણાવો.
અથવા
પોષણ દેહધાર્મિક કાર્યો માટે જરૂરી છે. સમજાવો.