CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કારણ આપો.
ઉત્તેજનાની પ્રક્રિયા દરેક સજીવની લાક્ષનિકતા છે.
વનસ્પતિમાં નિયંત્રણ અને સહનિયમન કેવી રીતે જોવા મળે છે ? તે પ્રાણીમાં કઈ રીતે જુદુ પડે છે ?
અથવા
વનસ્પતિમાં નિયંત્રણ અને સહનિયમન
વનસ્પતિમાં નિયત્રણ અને સહનિયમન : વનસ્પતિઓમાં પ્રાણિઓની જેમ ચેતાતંત્ર અને સંવેદી અંગો આવેલા નથી. છતા વનસ્પતિઓ તેમના અંતઃસ્ત્રાવની અસરોથી વિવિધ સંવેદનાઓ જેવી કે ગુરુત્વાકર્ષણ, પ્રકાશ, પાણી, રસાયણો અને સ્પર્શ અનુભવી શકે છે.
ગુરુત્વાકર્ષણ, પ્રકાશ, પાણી, રસાયણો અને સ્પર્શની ઉત્તેજનાઓને પર્યાવરણીય ફેરફારો કહે છે.
આ પર્યાવરણીય ફેરફારો સામે અંતઃસ્ત્રાવોના ઉપયોગથી વનસ્પતિઓ તેમની વર્તણૂકમાં સંકલન કરે છે.
વનસ્પતિ અંતઃસ્ત્રાવોની કાર્યપદ્ધતિ અને અસરો પ્રાણી અંતઃસ્ત્રાવોથી અલગ હોય છે. પરંતુ વનસ્પતિઓમાંં વિવિધ ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયાઓ માટે અંતઃસ્ત્રાવો અસરકારક છે.
વનસ્પતિઓમાં ચેતાતંત્રના અભાવે ત્વરીત પ્રતિચાર દર્શાવતો નથી, પરંતુ તેઓ નોંધપાત્ર સમય લે છે. વનસ્પતિઓમાં ફક્ત અંતઃસ્ત્રાવના ઉપયોગને કારણે ઉત્તેજના સામેની પ્રતિક્રિયા ધીમી છે અને ઝડપથી અવલોકન કરી શકાતું નથી.
વનસ્પતિ અંતઃસ્ત્રાવો ફાયટોહોર્મોન તરીકે ઓળખાય છે. ઑક્ઝિન, જીબરેલીન અને સાયટોકાઈનીન વૃદ્ધિપ્રેરક વનસ્પતિ અંતઃસ્ત્રાવો છે. જ્યારે ઍબ્સિસિક ઍસિડ અને ઈથીલિન વૃદ્ધિ-અવરોધક અંતઃસ્ત્રાવો છે.
નિયંત્રણ અને સહનિયમન પ્રાણીમાં નીચેની બાબતોમાં જુદું પડે છે :
ઉચ્ચ પ્રાણીઓમાં ઉત્તેજના ગ્રહણ કરવા માટે નાક, ત્વચા, કાન, આંખો વગેરે સંવેદન અંગોના આવેલા હોય છે.
પ્રાણીઓમાં ચેતાતંત્ર હોવાથી ઉત્તેજનાની પ્રતિક્રિયા ઝડપી હોય છે.
પ્રાણિઓ પોતાની વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન કરવા માટે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવો બંનેનો ઉપયોગ કરે છે. તેથી તેમાં તત્કલિક પ્રતિચાર દર્શાવાય છે.
ઉત્તેજના સામેની પ્રતિક્રિયાઓ વંસ્પતિઓ અને પ્રાનીઓમાં કઈ રીતે જુદી પડે છે તે જણાવો.
હલનચલન એટલે શું ? વનસ્પતિમાં હલનચલનની પ્રતિક્રિયા સમજાવો.
સમજાવો : ઉત્તેજનાની પ્રતિક્રિયા જીવંત સજેવોની લાક્ષણિકતા છે.
અથવા
ઉત્તેજના એટલે શું ? જીવંત વંસ્પતિઓમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા વિશે માહિતી આપો.