CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આપણો પ્રકૃતિક અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય વિસ્તૃત, સમૃદ્ધ, વૈવિધ્યપૂર્ણ અને અજોડ છે.
આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી અમુલ્ય ભેટ છે.
આપણો સાંસ્કૃતિક વારસો ભારતવસીઓના સદીઓના અથાક પરિશ્રમનું ફળ છે.
આપણો વારસો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. તે ખરેખર, આપણી રાષ્ટ્રીય ઓળખનો અરીસો છે.
ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને માર્ગદર્શક બને છે.
દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે.
વિદેશી પ્રજાંના આક્રમણો અને આપણી જાગૃતિના અભાવને કારણે આપણા દેશના સાસ્કૃતિક વારસને ભયંકર નુકશાન થયું છે. તેથી તેનું રક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે.
તે ભારત દેશનો અને તેના લોકોનો જગતને પરિચય કરાવે છે.
આપણો વારસો આપણી અદ્વિતિય અને સર્વોત્કૃષ્ઠ સંસ્કૃતિનું જગતને દર્શન કરાવે છે.
આવા આપણા ભવ્ય વારસાના મહત્વ અને મૂલ્યને ટકાવી રખવા તેમજ તેનું સાતત્ય જાળવવા આપણે તેનું જતન અને રક્ષણ કરવું જોઈએ.