CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આર્થિક ઉદારીકરની નીતિ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી, દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી વ્યવસ્થા.
આર્થિક ઉદારિકરણના લાભ : ભારતમાં આર્થિક ઉદારીકડણની નીતિ અમલમાં આવતાં નીચે મૂજબ લાભ થયા છે:
ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી દેશના ઉત્પાદનવૃદ્ધિના દરમાં વધારો થયો છે.
વિદેશ વ્યાપરમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો છે.
દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે.
આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે.
ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે.