CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ટકાઉ વિકાસ એટલે પ્રદુષણ મુક્ત અને પર્યાવરણ તરફ મૈત્રીપૂર્ણ વ્યવહાર દ્વારા વિકાસ, આત્મનિર્ભરતા, પાયાના માળખાંનો ઝડપી વિકાસ તેમજ પ્રાકૃતિક અને માનવીય સાધનોના સમુચીત વિકાસ અને ઉપયોગ દ્વાર જ કોઈ પણ ટકાઉ વિકાસ સાંધી શકે છે.
પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
ખેતીલાયક જમીન, જંગલો, જળસંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવાં પ્રકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે તેમનો ઉપયોગ કરવો.
કોલસો, પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવાં સાધનો છે. તેથી તેમનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો.
પ્રાકૃતિક સાધનોનો ઓછામાં ઓછો બગાડ થાય એ રીતે તેમનો ઉપયોગ કરવો. એ માટે આડપેદશોનો ઉપયોગ, ટેકનૉલિજીનો વિકાસ વગેરે પર ભાર મુકવો.
અનેક ઉપયોગ ધારાવતાં સાધનોને બધા જ ઉપયોગોમાં લેવાં. જેમ કે ભારતમાં દામોદર વેલી યોજનાને સિંચાઈ, વિદ્યુત ઉત્પાદન, પૂરનિયંત્રણ, વાહનવ્યવહાર વગેરે ઉપયોગમાં લેવાય છે.
વાહનવ્યવહારનું ખર્ચ ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું.
પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે તે રીતે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરવો.
આર્થિક વિકાસની આડાસરો જેવી કે પ્રાકૃતિક સાધનોની ગેરવ્યવસ્થા, જંગલોનો મોટા પાયા પર વિનાશ, ઔદ્યોગીક કચરાનો બિનાઅયોજિત નિકાલ, ઝેરી રસાયણો, કૅમિકલ્સયુક્ત ગંદું પાણી, ગંદા વસવાટો વગેરે પર કાયદાકીય નિયંત્રણો મૂકવાં.