વનસ્પતિઓ, પ્રાણીઓ અને માનવ સહિત બધા જ સજીવો તેમજ તેમની સાથે સંકળાયેલા ભૌતિક પરિસરને પર્યાવરણ કહેવામાં આવે છે.
પર્યાવરણના વિવિધ ઘટકો (જૈવિક અને અજૈવિક) આંતર સંબંધિત અને એક બીજા પર આધારિત હોય છે. આથી આ ઘટકોની સમતુલા પર્યાવરણની સમતુલા માટે ખુબ જ જરૂરી છે. પૃથ્વી પર વિવિધ પ્રદેશોની આબોહવા, ભૂમિ-પ્રકાર અને ભૂતલીય પરિબળો બદલાતાં રહે છે. તેથી જુદા જુદા પ્રદેશોનું પર્યાવરણ બદલાય છે. પૃથ્વી પર વનસ્પતિઓ અને પ્રાણીઓ સહિત બધા સજીવો જે પર્યાવરણમાં જન્મે છે અને રહે છે તે તેમના પર્યાવરણને અનુકૂલિત થાય છે.
પર્યાવરણના એક ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે.