ઓઝોન સ્તર અને તેમા ઘટાડો વિસ્તારથી સમજાવો.
ઓઝોનના નિર્માણની ક્રિયા : ઑક્સિજનનો અણુ પારજાંબલી ફોટોનનું શોષણ કરી પ્રકાશ વિખંડન કે પ્રકાશ વિભંજન ક્રિયામાંથી પસાર થાય છે. પરિણામે ઑક્સિજનનો એક અણુ બે પરમાણુમાં વિભાજિત થાય છે. આ મુક્ત ઑક્સિજન
(O) પરમાણુ ઑક્સિજન
(O3) નો અણુ બનાવે છે.
ઓઝોન સ્તરનું સ્થાન : પૃથ્વીનું વાતાવરણ સમકેન્દ્રિત સ્તરીય ગોઠવણી ધરાવે છે. પૃથ્વીની સપાટીનું સૌથી નજીક લગભગ
16 કિમી ઊંચાઈ સુધી ટ્રોપોસ્ફિયર આવેલું છે.
ટ્રોપોસ્ફિયરથી ઉપર લગભગ
50 કિમી ઊંચાઈ સુધી સ્ટ્રેટોસ્ફિયર છે. સ્ટ્રેટોસ્ફિયતર છે. સ્ટ્રેટોસ્ફિયર
16 થી
30 કિમી સુધીના વિસ્તારમાં ઓઝોન સ્તર રહેલું છે.
મહત્ત્વ : ઓઝોન અણુ
310-200 નેનોમીટર
(nm) તરંગલંબાઈ ધરાવતાં પારજાંબલી કિરણોને શોષે છે. આથી ઓઝોન સ્તર સૂર્યના હાનિકારક પારજાંબલી વિકિરણોને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા અટકાવે છે અને પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કરે છે.
ઓઝોન સ્તરામાં ઘટાડો :
સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલાં ઓઝોન સ્તરમાં ઘટાડો હાલની ગંભીર વૈશ્વિક સમસ્યા છે.
ઓઝોન સ્તરમાં ઘટાડો સૌપ્રથમ 1980ના વર્ષમાં નોંધાયેલો છે. દક્ષિણ ધ્રુવ વિસ્તારના ઓઝોન સ્તરમાં 40-50% ઘટાડો થયેલો છે. મોટા પ્રમાણમાં ઓઝોન સ્તરમાં ઘટાડાની આવી ઘટનાને ઓઝોન છિદ્ર (ઓઝોન ગર્ત) કહે છે. આવા ઓઝોન છિદ્ર ઉત્તર ધ્રુવ વિસ્તારમાં પણ નોંધાયા છે સમગ્ર પૃથ્વી ફરતે ઓઝોન સ્તરમાં ઘટાડો નોંધાયેલો છે.
માનવ રહેઠાણવાળા વિસ્તારોમાં પણ ઓઝોન છિદ્રો ફેલાવાની સંભાવના રહેલી છે. પરંતુ આમ થશે કે નહિં તેનો આધાર પવન, આબોહવાની પરિસ્થિતિ અને વાતાવરણમાં તરતી અશુફદ્વિઓ
(SPM Suspended Particulate Matter ) પર છે.
ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર પરિબળ : વાતાવરણમાં ક્લોરિનનો ઉમેરો ઓઝોન સ્તરમાં ઘટાડા માટે મુખ્ય પરિબળ છે.
ક્લોરીન પરમાણુની ઓઝોન સાથેની પ્રક્રિયાથી ઑક્સિજનના એક પછી એક અણુ દૂર થાય છે.
આ પ્રક્રિયામાં ક્લોરિનનો એક પરમાણુ ક્રમશઃ ઓઝોનના
1,00,000 અણુઓનું વિઘટન કરે છે.
ક્લોરીનનો સ્ત્રોત
CFC (ક્લોરોફ્લોરોકાર્બન) છે. તે સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોનના કુલ ઘટાડાના
80% ઘટાડો કરતું મુખ્ય સંયોજન છે. રેફ્રિજરેટર અને ઍરકંડિશનરમાં ઉપયોગી ફ્રિઓન આવો એક પદાર્થ છે.