CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ટૂંક નોંધ લખો : પર્યાવરણ
ટુંક નોંધ લખો :
નિવસનતંત્ર
ઓઝોન સ્તર અને તેમા ઘટાડો વિસ્તારથી સમજાવો.
ટૂંક નોંધ લખો :
ઉપભોગી સજીવો
ટૂંકી સમજૂતી લખો :
જૈવિક વિશાલન
આહારના સંબંધોને અનુરૂપ સજીવો પરસ્પ આધારિત રહી આહારશૃંખલા રચે છે.
આ આહારશૃંખલા દ્વારા શક્તિ અને દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તરો તરફ વહન પામે છે. જો કોઈ જૈવ-અવિઘટનીય દ્રવ્ય નિવસનતંત્રના જૈવ ઘટકોમાં પ્રવેશી જાય, તો ક્રમશઃ ઉપલા પોષક સ્તરે તેનું સંકેન્દ્રણ વધતું જાય છે.
દા. ત., રોગો કે કીટકોથી કૃષિ-પાકોને રક્ષણ આપવા જંતુનાશકો અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ કરવામાં આવે છે. તેથી જમીન અને પાણીમાં આ રસાયણોનું પ્રમાણ વધે છે. આવાં રસાયણો જમીન કે પાણીમાંથી વનસ્પતિઓના દેહમાં પ્રવેશી, આહારશૃંખલાના માર્ગે તૃણાહારીઓ, માંસાહારીઓ અને ઉચ્ચ માંસાહારીઓમાં પ્રવેશે છે. આ રસાયણો વિઘટન પામતા ન હોવાથી દરેક પોષક સ્તરે તેમનું સંકેન્દ્રણ વધતું રહે છે. આ ઘટનાને જૈવિક વિશાલન કહેવાય છે.