CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
માનવીની ઉત્પત્તી થઈ ત્યારથી અનેક વિદ્ધાનોએ માનવવર્તનને સમજવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રયત્નમાંથી મનોવિજ્ઞાનને જુદા જુદા દ્દષ્ટિકોણથી જોતાં અનેક અભિગમો પ્રાપ્ત થયા. આ અભિગમોનું સંકલન કરીને મનોવિજ્ઞાનની સાચી સમજ મેળવી શકાય છે.
મનોવિજ્ઞાનમાં માનવવર્તનને સમજાવતા ‘માનવતાવદી અભિગમ’ની સમજૂતી નીચે મુજબ છે.
આ અભિગમ મનોગત્યાત્મક અભિગમ કરતાં વિરોધી બાબત પર ભાર મૂકે છે. મનોગત્યાત્મક અભિગમ અનુસાર માનવી અનિચ્છનીય અને સમાજવિરોધી પ્રેરણાથી વર્તે છે. તેને પોતાની મૂળભૂત ઈચ્છાઓ પૂરી કરવામાં જ રસ હોય છે. જ્યારે માનવાદી અભિગમ અનુસાર માનવી શક્તિશાળી અને સમાજને અનુકૂળ રીતે વર્તનાર ક્રિયાશીલ વ્યક્તિ છે. આ અભિગમના પ્રણેતાઓમાં અબ્રાહમ મેસ્લો, કાલ રોઝર્સ, એરિક ફ્રોમ વગેરેનો સમાવેશ થાય છે. તેનું દ્રષ્ટિબિંદુ તેના વર્તનને ઘડે છે. આ અભિગમ અનુસાર માનવી સ્વતંત્ર, ઈચ્છાશક્તિવાળો, સ્વવિકાસની ઈચ્છાવાળો અને દ્રષ્ટિબિંદુવાળો છે અને પોતાના વર્તનને નક્કી કરવા માટે તે સંપૂર્ણ સ્વતંત્ર છે. આથી જ આ અભિગમને ‘માનવીય અભિગમ’ પણ કહેવામાં આવે છે.