CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
બોધાત્મક મનોવિજ્ઞાન માનવીની માનસિક પ્રક્રિયાનો અભ્યાસ થાય છે.
માનસિક પ્રક્રિયામાં સંવેદન, પ્રત્યક્ષીકરણ, ધ્યાન, પ્રત્યભિક્ષા, સ્મૃતિ, તર્કશક્તિ, વિચારણા, સમસ્યા ઉકેલ, સર્જનાત્મકતા, નિર્ણય પ્રક્રિયા અને ભાષાનો સમાવેશ થાય છે.
માનવી પોતાની પરિસ્થિતિનું જેવું જ્ઞાન અને સમજ મેળવે છે તે પ્રમાણે વર્તન કરે છે.
બોધાત્મક મનોવિજ્ઞાન માનવીને મળતાં ઉદ્દીપકોનું સંવેદન થયા પછી મળતાં બોધાત્મક જ્ઞાનનો અભ્યાસ કરે છે.
બોધન ઉપર ભૂતકાળ અને ભવિષ્યકાળની અસર હોય છે. તેથી બોધાત્મક મનોવિજ્ઞાન સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ જેવા સ્મરણની પ્રક્રિયાનાં સોપાનોનો અભ્યાસ કરે છે.