CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન ગર્ભાધાનથી શરૂ કરીને મૃત્યુ સુધી ઉંમરની વૃદ્ધિ સાથે વ્યક્તિત્વના વર્તનમાં થતાં પરિવર્તનોનો અભ્યાસ કરે છે.
આ શાખા શૈશાવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, પુક્તાવસ્થા અને વૃદ્ધાવસ્થાના વિકાસ અને સમાયોજનના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરે છે.
સામાન્ય રીતે બાલ્યાવસ્થા દરમિયાન બાળકની શક્તિઓ અને વર્તનમાં ખૂબ જ ઝડપી પરિવર્તનો આવે છે. માટે વિકાસાત્મક મનોવૈજ્ઞાનિકો બાલ્યાવસ્થા દરમિયાન બાળકના વિકાસના અભ્યાસમાં વિશેષ રસ ધરાવે છે.
એવી રીતે વુદ્ધાવસ્થા દરમિયાન પણ વ્યક્તિની શક્તીઓ અને વર્તનમાં ઝડપી પરિવર્તનો આવે છે. આથી આ શાખા વૃદ્ધાવસ્થા દરમિયાનના વર્તનનાં કારણો અને તેના ઉપચાર માટેની પદ્ધતિઓ અંગે આ શાખા દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાંં આવે છે.