શ્રમજીવીની પત્નિ લખીએ રમણિકલાલ તરફ પોતાનો રોષ કઈ રીતે ઠાલવ્યો ?
શ્રમજીવીની પત્ની લખીએ કકળતી આંતરડીએ રમણિકલાલ તરફ પોતાનો રોષ ઠાલવતાં કયું કે, ‘દિકરીએય તારો દીવો નહીં રે સાહેબ ..... ‘ મારાધણીને મારીને તને શું મળ્યું કાળમૂખા !’ ‘ઘેર પોયરાંઓ (છોકરાં) ભૂખથી ટળવળતાં હતાં એટલે ઈ લાકડાં લેવા આવેલો સાહેબ-ઈણે ઝાડવાં નહોતાં કાપ્યાં, વીણીવીણીને ડાળખા ભેગાં કર્યાં, ઈય તારાથી ન ખમાણું ?’ ‘તેં એને મારી નાંખ્યો મૂવા રાક્ષસ ! ઉપરવાળાના ચોપડે આ બધુ લખાશે કાળમુખા ! યાદ રાખજે ...... ઈ હિસાબનું પાનું એક દિ ઊઘડશે ત્યારે મને યાદ કરજે .... તારા ચાબુકનો અવાજ આવે છે પણ ઉપરવાળાની લાકડી વિંઝાશે ત્યારે કોઈ અવાજ નહિં આવે .... રોઈરોઈને તારી આંખનાં પાણી ખૂટી જશે એવો દા’ડો આવશે ત્યારે મને યાદ કરજે ....’ ‘મારી નાખ્યો મારા ધણીને ........ ઈ તો ગયો હવે આ આખી જિંદગી અમને પાંચેયને કોણ ખવડાવશે, મૂવાં પાપિયા ? ખટારા ભરીને લાકડાં જાય છે એ નથી દેખાતું ને ગરીબને કાયદો દેખાડો છો ? મૂવા રાક્ષસ, તારી સરકારને આંખો નથી બળી, પણ ઉપરવાળાને બધુ દેખાય છે એ ન્યાય કરશે ..... તારું ધનોતપનોત નીકળી જશે ..... તારી વાંહે કોઈ રોવાવાળું નહીં રે ....