Chapter Chosen

ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કુટુંબનો અર્થ આપી, કુટુંબના પ્રકાર સમજાવો. 

સામાજિક સંસ્થાનો અર્થ આપી, સામાજિક સંસ્થાનાં લક્ષણો જણાવો. 

જ્ઞાતિનાં લક્ષણોની ચર્ચા કરો. 

Advertisement
‘લગ્નસંસ્થા’ એટલે શું ? લગ્નના ઉદ્દેશો (હેતુઓ) સમજાવો. 

લગ્નસંસ્થા એ કુટુંબવ્યવસ્થા સાથે જોડાયેલી મહત્વની સંસ્થા છે. ‘લગ્ન’ એ કુટુંબસંસ્થાનું પહેલું પગથિયું છે. લગ્ન માનવસમાજની સાર્વત્રિક ઘટના છે. લગ્નનાં સ્વરૂપો, હેતુઓ, ખ્યાલો, અદર્શો, મૂલ્યો વગેરે બાબતમાં જુદા જુદા સમાજમાં ભિન્નતા જોવા મળે છે.

લગ્નનો અર્થ :

લગ્ન એક મહત્વની સામાજિક જરૂરિયાત તરીકે વિશ્વના દરેક સમાજે સ્વીકારેલી મૂળભૂત અને પાયાની સામાજિક સંસ્થા છે.

લગ્ન દ્વારા પુરુષ અને મહિલાને નિશ્વિત પતિ-પત્ની તરીકેનો દરજ્જો પ્રાપ્ત થાય છે અને તેમની જાતીય સંબંધોને સામાજિક માન્યતા મળે છે.

જાતીય સંબંધોની માન્યતાને કારણે જન્મ લેનાર બાળકો કાયદેસરનાં ગણાય છે અને પતિ-પત્નીને માતા-પિતાનો દરજ્જો મળે છે.

હેરી જ્હૉન્સનના મત પ્રમાણે, “લાહતું આવશ્યક તત્વ એ છે કે તેમાં પુરુષ અને મહિલાને એક સ્થાયી સંબંધમાં પ્રવેશીને, પોતાનું સામાજિક સ્થાન ગુમાવ્યા વગર બાળકોને જન્મ આપવાની અનુમતિ મળે છે.”

વેસ્ટર માર્ક જણાવે ચે કે, “લગ્ન એક કે વધારે પુરુષોનો એક કે વધારે મહિલાઓ સાથેનો સંબંધ છે. જેનો સમાજના રિવાજો કે કાયદાઓ દ્વારા સ્વીકાર થયો હોય છે. આ પ્રકારના સંબંધોમાં લગ્ન કરનાર વ્યક્તિઓ અને જન્મ પામનાર બાળકોના પારસ્પરિક હકો અને ફરજોનો સમાવેશ થાય છે.”

ઇ. એસ. બોગાર્ડસના મત પ્રમાણે, “લગ્ન એ મહિલા અને પુરુષને કૌટુંબિક જીવનમાં પ્રવેશ અપાવતી સંસ્થા છે.”લગ્ન માનવીની જાતીય વૃત્તિનું નિયંત્રણ કરે છે અને આ વૃત્તિનું સમાજને માટે ઉપયોગી ઢાંચામાં નિયમન કરે છે.

લગ્નસંસ્થા આદિકાળથી આધુનિક કાળ સુધી કોઈ ને પ્રહારે મહિલા અને પુરુષના સંબંધોને નિયંત્રિત કરતી રહી છે.

લગ્નના ઉદેશો (હેતુઓ) :

1 ધર્મ (ધાર્મિક ફરજોનું પાલન) :

હિન્દુ ધર્મમાં લગ્નને પવિત્ર સંસ્કાર માનવમાં આવે છે. હિંન્દુઓ માટે લગ્નનો મુખ્ય ઉદ્દેશ ધાર્મિક ફરજોનું પાલન કરવાનો છે. પ્રત્યેક હિન્દુ પુરુષે પોતાના જીવનકાળ દરમિયાન અમુક ધાર્મિક ફરજો પુરુષ એકલો બજાવી શકતો નથી. ધાર્મિક વિધિવિધાનો અને ફરજો બજાવવા માટે પત્નીનો સાથ જરૂરી છે.

2 પ્રજા (સંતપ્રાપ્તિ) :

લગ્નનો ઉદ્દેશ સંતતિપ્રાપ્તિનો છે. પ્રાચીન સમયમાં શિષ્ય જ્યારે વિદ્યા પ્રાપ્ત કરી ગુરુના આશ્રમમાંથી વિદાય થતો હોય ત્યારે ગુરુ તેને આદેશ આપતા કે, “જે પ્રમાણે તમારા પૂર્વજોએ સંતતિને જન્મ આપ્યો છે તે જ પ્રમાણે તમે પણ સંતતિને જન્મ આપજો.” સમાજનું સાતત્ય અને અસ્તિત્વ જાળવી રાખવા માટે સમાજમાં નવી સંતતિનું સર્જન થાય એ આવશ્યક છે.

3 રતિ (જાતીય સંતોષ) :

લગ્ન દ્વારા પુરુષ અને મહિલાને સામાજિક રીતે જાતીય સંતોષ પ્રાપ્ત થાય છે. લગ્નના ઉદ્દેશમાં જાતીય વૃતિના સંતોષને સ્થાન આપીને શાસ્ત્રકારોએ વ્યક્તિગત જરૂરિયાતોને પણ મહત્વ આપ્યું છે.

4 ગૃહનિવાસ :

લગ્ન દ્વારા પુરુષ અને મહિલાને સામાજિક રીતે એકબીજા સાથે ગૃહનિવાસ કરવાનો અધિકાર મળે છે.


Advertisement
કુટુંબનાં લક્ષણો : ટુંક નોંધ લખો. 

Advertisement